કારેલાના માંડવે પકવ્યું 'સોનું', જાણો Fatepura ના ખેડૂતની 'મિલિયોનેર' ફોર્મ્યુલા
Agriculture Innovation: નડિયાદના ફતેપુરા ગામના ખેડૂત અજયસિંહે સવા બે વીઘા જમીનમાં કારેલાની પ્રાકૃતિક ખેતી કરી રૂ. 9 લાખની આવક મેળવી છે. રૂ. 2 લાખના ખર્ચ સામે 1200 મણ કારેલાનું વેચાણ કરી તેમણે સતત બીજા વર્ષે સફળતા મેળવી છે. રાસાયણિક ખેતી છોડી 27,000 થી વધુ ખેડૂતો હવે સ્વાસ્થ્યપ્રદ અને નફાકારક પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
Advertisement
- નડિયાદના Fatepura ના ખેડૂતે કરી સફળ પ્રાકૃતિક ખેતી
- સવા બે વીઘામાં કારેલાની સફળ પ્રાકૃતિક ખેતી કરી
- ફતેપુરાના ખેડૂતે મેળવી રૂપિયા 09 લાખની આવક
- અજયસિંહના રસાયણમુક્ત કારેલાથી ખેતી બની સમૃદ્ધ
- સિઝનમાં અંદાજે 1200 મણ જેટલા કારેલાનું વેચાણ કર્યું
- વર્ષ 2025માં પણ રૂપિયા 9 લાખની આવક મેળવી હતી
- 27000થી વધુ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી
Fatepura Farmer success story: આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ફતેપુરા (Fatepura) ગામના એક પ્રગતિશીલ ખેડૂત અજયસિંહ (Ajaysinh) અન્ય ખેડૂતો માટે દીવાદાંડી સમાન સાબિત થયા છે. અજયસિંહે પોતાની માત્ર સવા બે વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવીને કારેલાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. આ વર્ષે તેમણે કારેલાના વેચાણમાંથી અંદાજે રૂ. 9 લાખની માતબર આવક મેળવીને સૌને અચંબિત કરી દીધા છે.

