ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: સર્વે કરી રહેલા અધિકારીઓ પર તીર-કામઠાથી હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Gujarat: શનિવારે બપોરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘાયલોમાંથી 36 લોકોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
08:11 AM Dec 14, 2025 IST | SANJAY
Gujarat: શનિવારે બપોરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘાયલોમાંથી 36 લોકોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
Gujarat, Ambaji, Police, Forest, Revenue

Gujarat: શનિવારે બપોરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પડલિયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘાયલોમાંથી 36 લોકોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

જોકે, હુમલો શા માટે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી

હાલમાં તમામ ઘાયલોની હાલત સ્થિર છે. જોકે, હુમલો શા માટે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે શનિવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ પોલીસ, વન અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ વન વિભાગના સર્વે નંબર 9 વિસ્તારમાં નર્સરી અને વાવેતરનું કામ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અચાનક, લગભગ 500 લોકોના ટોળાએ ટીમ પર પથ્થરમારો અને તીર-કામઠાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ વિસ્તાર દાંતા તાલુકામાં આવેલો છે, જે પ્રખ્યાત યાત્રાધામ અંબાજીથી લગભગ 14 કિલોમીટર દૂર છે.

Gujarat: આ બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઘટનાની જાણ થતા, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા એટલે તાત્કાલિક હું ખબર અંતર પૂછવા માટે આવ્યો છું.

સમગ્ર ઘટના કઈ રીતે બની તેને લઈને હજુ પૂરી જાણકારી મળી નથી

સમગ્ર ઘટના કઈ રીતે બની તેને લઈને હજુ પૂરી જાણકારી મળી નથી, પરંતુ વન પર્યાવરણ મંત્રી પ્રવીણ ભાઈ માળી સાથે આ બાબતે વાતચીત થઈ છે." આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat News : આજે 14 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
AmbajiForestGujaratpolicerevenue
Next Article