ભારતમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ અને મૃત્યુ આમ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,362 નવા કોવિડ કેસ સામે આવ્યા છે જયારે 66 મૃત્યુ જયારે 9620 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝીટીવ કેસ પૈકી 0.13 ટકા લોકો હજુ સંક્રમિત છે. ભારતમાં 54,118 એક્ટિવ કેસ છે જયારે 1.20 ટકા દર્દીઓના અવસાન થયા છે ભારતમાં કુલ 515102 દર્દીઓના કોરોનથી મૃત્યુ થયા છે. ભારતમાં કુલ 98.68 ટકા દર્દીઓ કોરોનથી સજા થયા છે. જાન્યુઆરી 2021 થી શરુ થયેલ રસીકરણ અભિયાન થી ભારતમાં કુલ 1,78,90,61,887 ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.