Rohit Sharma Retirement : રોહિત શર્મા સ્વેચ્છિક નિવૃત્તિ જાહેર નહીં કરે! ટીમ મેનેજમેન્ટ નક્કી કરે 2027 ના વર્લ્ડ કપમાં રમાડશે કે...
Rohit Sharma Retirement : 2027ના વનડે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારોની ચર્ચા વચ્ચે રોહિત શર્માના ભવિષ્યને લઈને સસ્પેન્સ યથાવત છે. લોર્ડ્સમાં 138 રનની શાનદાર સદી બાદ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે રોહિતના અભિગમ અને નિવૃત્તિને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેના કારણે ફરી એકવાર ટીમની પસંદગી અંગે ચર્ચા તેજ બની છે.
Advertisement
Rohit Sharma Retirement : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)એ 2027ના વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2027) માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમમાં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. આ વચ્ચે ચાહકોમાં એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હશે કે નહીં.

