Sunil Gavaskar Vaibhav Suryavanshi: આયરલેન્ડ સામે હારથી ભડક્યા સુનિવ ગાવસ્કર, "ઈંગ્લેન્ડ સામે વૈભવને ઉતારો"
આયરલેન્ડ સામેની મેચમાં ભારતના સ્ટાર ઓપનર્સ અભિષેક શર્મા અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ થતાં ટીમ ઇન્ડિયા ભારે વિવાદમાં સપડાઈ છે. આ નબળા પ્રદર્શનથી નારાજ થઈને પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની જોરદાર વકીલાત કરી છે. ગાવસ્કરના મતે આગામી 1 જુલાઈથી શરૂ થતી ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં વૈભવ પાસે ઓપનિંગ કરાવવી અનિવાર્ય બની ગઈ છે.
Advertisement
Sunil Gavaskar Vaibhav Suryavanshi: આયરલેન્ડ સામેની ટી20 સિરીઝમાં ભારતીય ટીમનો 2-0 થી કરુણ પરાજય થતાં ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. આ શરમજનક હાર બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગાવસ્કરે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેનોને પડતા મૂકીને આગામી ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ મેચથી જ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમમાં તક આપવાની કડક સલાહ આપી છે.

