Banaskantha : વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક
- લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહએ તરકટ રચ્યું
- અન્ય વ્યક્તિના મૃતદેહનો ઉપયોગ કરીને આ કારસ્તાનને અંજામ આપ્યો
- આરોપીને રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવો હતો
Banaskantha : વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક આવ્યો છે. જેમાં કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગમિતિનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઇની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખુલ્યુ છે.
લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહએ તરકટ રચ્યું
પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહએ તરકટ રચ્યું હતુ. પોલીસએ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા, મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા, ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ, સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ, દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ, સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે (Police) 5 શખ્સઓની અટકાયત કરી તો મુખ્ય સૂત્રોધ્ધર ભગવાનસિંહ પોલીસ (Police) પકડથી દુર છે.
અન્ય વ્યક્તિના મૃતદેહનો ઉપયોગ કરીને આ કારસ્તાનને અંજામ આપ્યો
અગાઉ એવુ સામે આવ્યું હતુ કે દેવું ચૂકવવા વિમાના 1.26 કરોડ પાસ કરાવવા માટે વેપારીએ સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી દીધી હતી. આ સમગ્ર કારસ્તાન વડગામ તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાન કરસનભાઈ પરમારએ દેવું ચૂકવવા માટે રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. વેપારીએ કોઈ અન્ય વ્યક્તિના મૃતદેહનો ઉપયોગ કરીને આ કારસ્તાનને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: Amreli: પીડિત પાટીદાર યુવતીને સેશન કોર્ટ આપ્યા જામીન, દિનેશ બાંભણીયા અને ગોપાલ ઇટાલીયાએ પ્રતિક્રિયા આપી
આરોપીને રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવો હતો
વેપારીએ એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો એલ.આઇ.સી વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરવા માટે આ તરખટ રચ્યું હતું. અગાઉ એવું હતુ કે ઢેલાણા ગામના મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી પ્રવાહી છાંટી કાર સળગાવી દીધો હતો. આરોપીએ રૂપિયા માટે આ સમગ્ર કારસ્તાનને અંજામ આપ્યો હતો પરંતુ પોલીસે આ કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો હતો. પોલીસે (Police) અત્યારે આ કારસ્તાન રચનારા ત્રણ લોકોની અટકાયત કરી છે, જો કે, આ કારસ્તાનનો મુખ્ય આરોપી દલુપતસિંહ ઉર્ફે ભગવાન કરસનજી પરમાર અત્યારે પણ ફરાય છે. પોલીસે (Police) તેની તપાસ હાથ ધરી છે. પણ હવે નવો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: Bhavnagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, તંત્રએ ટૂંક જ સમયમાં બનાવ્યો નવો માર્ગ