Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ધાનપુરના અગાસવાણી ગામે જૂના મકાનમાં ઘરફોટ ચોરી, લાખોની મતા લઈ તસ્કરો ફરાર

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ જૂના મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ મોડી રાતે ઘરનાં રસોડાના પાછળનો દરવાજો નીચેથી તોડી ઘરમાં પ્રવેશી લોખંડની તિજોરી તોડી તેમાંથી અંદાજે રૂ. 1.65 લાખની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના ચોર્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
dahod   ધાનપુરના અગાસવાણી ગામે જૂના મકાનમાં ઘરફોટ ચોરી  લાખોની મતા લઈ તસ્કરો ફરાર
Advertisement
  1. Dahod ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે ઘરફોડ ચોરી
  2. તસ્કરોએ જૂના મકાનને નિશાન બનાવી લાખોની મતા ચોરી ફરાર થયા
  3. રસોડાના પાછળનો દરવાજો નીચેથી તોડી ઘરમાં પ્રવેશ્યા
  4. લોખંડની તિજોરી તોડી,અંદાજે રૂ. 1.65 લાખનાં દાગીના ચોર્યા!

Dahod: ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ જૂના મકાનને નિશાન બનાવ્યું હતું અને લાખો રૂપિયાનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ મોડી રાતે ઘરનાં રસોડાના પાછળનો દરવાજો નીચેથી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોખંડની તિજોરી તોડી તેમાંથી અંદાજે રૂ. 1.65 લાખની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના ચોરી ફરાર થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે (Dhanpur Police Station) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Dahod માં ચોરીનો બનાવ, લોખંડની તિજોરી તોડી, 1.65 લાખનાં દાગીના ચોર્યા!

દાહોદ જિલ્લાના (Dahod) ધાનપુર તાલુકાના (Dhanpur Taluka) અગાસવાણી ગામે પ્રકાશભાઈ સુક્રમભાઈ તડવી પરિવાર સાથે રહે છે. ગત રાતે તેમનાં મકાનમાં ચોરીનો બનાવ બન્યો. પોલીસ ફરિયાદ અનુસાર, પ્રકાશભાઈના પિતા સુક્રમભાઈ જે રૂમમાં સૂવે છે તે રૂમનાં રસોડાનો પાછળનો દરવાજો નીચેથી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ પ્રકાશભાઈના રૂમમાં જઈ ત્યાં રાખેલ લોખંડનાં કબાટનાં (તિજોરી) નીચેના ખાનામાંથી આશરે અઢી તોલા કુલ વજનની સોનાની બંગડી નંગ-2, આશરે એક તોલા વજનનાં સોનાના ઝુમ્મર નંગ-2, આશરે દોઢ તોલા વજનની સોનાની ચેન નંગ-1, અંદાજે એક તુલા વજનનાં સોનાનાં બુટા નંગ-1, આશરે ત્રણ ગ્રામ વજન સોનાની વીંટી નંગ-2 મળી રૂપિયા 1,50,000/-ની કુલ કિંમતનાં સોનાના દાગીના તથા ચાંદીનો આશરે 150 ગ્રામ વજનનો આંકડો નંગ-1, આશરે 200 ગ્રામ વજનનું ચાંદીનો મંગલસૂત્ર નંગ-1, આશરે 300 ગ્રામ વજનનાં ચાંદીનાં છડા નંગ-2, આશરે 200 ગ્રામ વજનનું ચાંદીનું નંગ-1 મળી રૂપિયા 15,000/-ની કુલ કિંમતનાં ચાંદીનાં દાગીના મળી રૂપિયા 1,65,000/- ની મત્તા ચોરીને લઈ ફરાર થયા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkot : રાજકોટમાં AQI 340એ પહોંચ્યો, બેફામ બાંધકામ-ધૂળથી શ્વાસ લેવો મુશ્કેલ

તસ્કરોને પકડવા ડોગ સ્કોડ તથા એફએસએલની મદદની માગણી

આ મામલે પ્રકાશભાઈ સુક્રમભાઈ તડવીએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં (Dhanpur Police Station) ઉપરોક્ત કેફિયતભરી ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ડોગ સ્કોડ તથા FSL ની મદદની માગણી પણ કરી છે, જેથી અજાણ્યા તસ્કરોની જલદી ધરપકડ કરી શકાય અને ચોરીના બનાવો પર અંકુશ લાગી શકે.

અહેવાલ : ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા, દાહોદ

આ પણ વાંચો - Jamnagar: વહેલી સવારે મકાનની છત ધરાશાયી, 5 લોકોનું શું થયું?

Tags :
Advertisement

.

×