Junagadh : સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, આખરે ઝડપાયો નરાધમ!
કેશોદ પોલીસે (Keshod Police) આરોપી સામે એટ્રોસિટી અને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- કેશોદનાં સોંદરડા ગામે સગીરા સાથે દુષ્કર્મનો મામલો (Junagadh)
- પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો
- લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું
- સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યાનો આરોપ
- સમગ્ર કેસમાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
જુનાગઢ જિલ્લાના (Junagadh) કેશોદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે કેશોદ પોલીસે (Keshod Police) આરોપી સામે એટ્રોસિટી અને પોક્સોનો (POCSO) ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

