Porbandar: તોફાની તત્વો સાન ઠેકાણે આવી, પોલીસે જાહેર રસ્તા પર કાઢ્યો ભવ્ય વરઘોડો!
પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મહોરમની રાત્રે તાજીયા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક ધમાલે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ લીધેલા એક સનસનાટીભર્યા અને કડક નિર્ણયને કારણે તોફાની તત્વોની શાન ઠેકાણે આવી ગઈ હતી.
Advertisement
Porbandar Police Varghodo Memanwada: પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોરબંદરના મેમણવાડા (Memanwada) વિસ્તારમાં મહોરમની રાત્રીએ તાજીયાના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર હિંસક મારામારી અને ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. તહેવારના પવિત્ર માહોલમાં અફરાતફરી મચાવનારા આ તત્વો સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા (Bhagirathsinh Jadeja SP) એ લાલ આંખ કરી તાત્કાલિક કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા.

