Rajkot Mass Suicide: રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર પતિ, પત્ની અને પુત્રના મોત
રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની સ્મિતાબેન ખખરનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશિત ખખરનું સારવાર દરમિયાન નિધન થયું. પ્રાથમિક તપાસમાં પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Rajkot Mass Suicide: રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું પ્રથમ મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા તેમના પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશિત ખખરનું પણ સારવાર દરમિયાન મોત થતાં પરિવારના ત્રણેય સભ્યોના કરુણ અંતથી શોકનો માહોલ છવાઈ ગયો છે.

