ટ્રેનમાં ઘણા મુસાફરો પર છરાબાજી કરવામાં આવી
અહેવાલો પ્રમાણે કેમ્બ્રિજશાયર કોન્સ્ટેબ્યુલરીએ જણાવ્યું હતું કે સાંજે આશરે 7:39 વાગ્યે (સ્થાનિક સમય) પોલીસને માહિતી મળી કે ટ્રેનમાં ઘણા મુસાફરો પર છરાબાજી કરવામાં આવી છે. ટ્રેન કેમ્બ્રિજશાયર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, અને જેમ જેમ તે હંટિંગ્ડન નજીક આવી રહી હતી, પોલીસે તેને રોકી અને વિસ્તારને ઘેરી લીધો. સશસ્ત્ર પોલીસ અધિકારીઓ ટ્રેનમાં ચઢ્યા, પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી અને ઘટનાસ્થળેથી બે શંકાસ્પદોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Stabbed on UK: સત્તાવાર માહિતી પર આધાર રાખવાની પણ વિનંતી
કેમ્બ્રિજશાયર પોલીસ અને બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (BTP) સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહ્યા છે. મુસાફરો પર છરીના હુમલા પાછળનો હેતુ શું હતો તે હાલમાં સ્પષ્ટ નથી. પોલીસે જે મુસાફરોએ આ ઘટના જોઈ છે અથવા તેમના મોબાઇલ ફોન પર કોઈ વીડિયો/ફોટો રેકોર્ડ કર્યો છે તેમને મદદ કરવા અપીલ કરી છે. વિસ્તારના લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર આધાર રાખવાની પણ વિનંતી કરવામાં આવી છે.
બે શંકાસ્પદોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટનાની નિંદા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "હંટિંગડન નજીક ટ્રેન પર થયેલો આ હુમલો ખૂબ જ ચિંતાજનક છે. મારી સંવેદના બધા પીડિતો સાથે છે. હું કટોકટી સેવાઓનો આભાર માનું છું. વિસ્તારના લોકોને પોલીસ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે." દરમિયાન, યુકેના ગૃહ સચિવ શબાના મહમૂદે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ એક દુ:ખદ ઘટના હતી. બે શંકાસ્પદોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. તેમણે લોકોને આ સમયે અટકળો અને ખોટી માહિતીથી દૂર રહેવા વિનંતી કરી.
હુમલા બાદ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી
હુમલા બાદ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઘણા મુસાફરોને અસુવિધા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે અને ફોરેન્સિક ટીમો પુરાવા એકત્રિત કરી રહી છે. ઘાયલોની સંખ્યા અને તેમની સ્થિતિ અંગે વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું છે કે તપાસ આગળ વધતાં વધુ માહિતી શેર કરવામાં આવશે.
આ પણ વાંચો: Cyber Fraud: શું તમારા ફોન પર લગ્નનું ઈ-ઇન્વિટેશન આવ્યું છે? તેને ખોલતા પહેલા સાવધાન!