Vadodara : અકોટાના જૈન દેરાસરમાં થઈ ચોરી, 540 વર્ષ જૂની મૂર્તિ ચોરાતા આક્રોશ
વડોદરાના અકોટામાં આવેલા જૈન દેરાસરમાં થયેલી કરોડો રૂપિયાની કિંમતની 540 વર્ષ જૂની મૂર્તિની ચોરીનો વડોદરા ક્રાઈમ બ્રાંચે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે મૂળ દાહોદના ત્રણ આરોપીઓને દબોચી લઈને પૌરાણિક મૂર્તિને હેમખેમ પરત મેળવી લીધી છે
Advertisement
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી 540 વર્ષ જૂની પૌરાણિક મૂર્તિની ચોરીનો કેસ ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરીના કારણે સ્થાનિક જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આખરે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે મૂળ દાહોદના વિજય ડાંગી, ધર્મેશ ડાંગી અને સુનીલ ડાંગી નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી પંચધાતુની પૌરાણિક મૂર્તિ કબજે કરી છે, સાથે જ ગુનામાં વપરાયેલ બાઈક અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

