Dwarka: દ્વારકાધીશના દ્વારે જતા વૃદ્ધ સકારામ સાથે બની ચોરીની ઘટના, 3 શખ્સએ વાતોમાં ભોળવીને આપ્યો અંજામ
રાજસ્થાનથી દ્વારકા દંડવત યાત્રાએ નીકળેલા 76 વર્ષના સંન્યાસી સકારામનો જામનગર હાઈવે પર ₹ 60,000 ની રોકડ અને દસ્તાવેજો ભરેલો સામાન ચોરાયો છે. મંદિરમાં પૂજા વખતે ત્રણ બાઇક સવાર તસ્કરોએ તેમને વાતોમાં ભોળવી સાયકલમાંથી ચોરી કરી હતી. આ શરમજનક ઘટના અંગે સિક્કા પોલીસ મથકે ગુનો નોંધાતા ભક્તોમાં ભારે રોષ છે.
Advertisement
Dwarka: જામનગર-ખંભાળિયા હાઈવે (highway) પર એક અત્યંત આઘાતજનક અને શરમજનક ઘટના સામે આવી છે. રાજસ્થાનથી (Rajasthan) ચાર પગે એટલે કે દંડવત પ્રણામ કરતા-કરતા ભગવાન દ્વારકાધીશના દર્શને જઈ રહેલા 76 વર્ષના પદયાત્રી વૃદ્ધ સંન્યાસી સકારામ ચોરીનો ભોગ બન્યા છે. તેઓ વર્ષોની કઠિન સાધના સાથે દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જામનગર (Jamnagar) નજીક તસ્કરોએ તેમની જીવનભરની મૂડી સમાન સામાન અને રોકડ રકમની ચોરી (theft) કરી લીધી છે. આ ઘટનાને કારણે સનાતની ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.

