Adhik Maas Kalashtami 2026 : કાલ ભૈરવ દાદાને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ દિવસ
Adhik Maas Kalashtami 2026 ની તિથિ નજીક આવી રહી છે. અધિક માસમાં કાલાષ્ટમીનું મહત્વ અનેકગણું વધી જાય છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે યોગ્ય વિધિ તથા શ્રદ્ધા સાથે ભગવાન કાલ ભૈરવ અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનના દુ:ખ, ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. અધિક કાલાષ્ટમીની પૂજા કરવાથી શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવો પણ શાંત થાય છે.
Advertisement
Adhik Maas Kalashtami 2026 : અધિક માસમાં આવતી કાલાષ્ટમીનું વ્રત ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવને સમર્પિત માનવામાં આવે છે. આ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે, પરંતુ અધિક માસમાં આવતી કાલાષ્ટમીનું મહત્વ અનેકગણું વધી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે યોગ્ય વિધિ તથા શ્રદ્ધા સાથે ભગવાન કાલ ભૈરવ અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનના દુ:ખ, ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે.

