Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Agnidan : મૃતદેહ ને અગ્નિદાન માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે..!!

આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને અગ્નિ સમક્ષ  મંગળનાં ચાર ફેરા ફેરવે છે જેમાં. ૧ પહેલો ફેરો "ધર્મ" નો ૨ બીજો ફેરો "અર્થ" નો ૩ ત્રીજો ફેરો "કામ" નો ૪ ચોથો ફેરો "મોક્ષ" નો. મોક્ષનાં ચોથા ફેરામાં "સ્ત્રી" પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે
agnidan   મૃતદેહ ને અગ્નિદાન માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે
Advertisement

Agnidan : આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ.
મુખ્ય વાત એમ છે કે જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને "સપ્તપદી"Saptapadi વિધિમાં મંગલાષ્ટકના  મંત્રોચ્ચાર વચ્ચે  મંગળનાં ચાર ફેરા ફેરવે છે જેમાં

૧ પહેલો ફેરો "ધર્મ" નો
૨ બીજો ફેરો "અર્થ" નો
૩ ત્રીજો ફેરો "કામ" નો
૪ ચોથો ફેરો "મોક્ષ" નો.

Advertisement

મોક્ષનાં ચોથા ફેરામાં "સ્ત્રી" પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે.
જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે. તે અગ્નિ બુજાવા નહોતો દેવાતો .

Advertisement

જ્યારે જાન પરણીને વિદાય થાય, ત્યારે "વર""Bridegroom"પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણામાં ભરીને Agnidan આપીએ છીએ. વખત જતાં પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જેને રમણ દીવો કહેવાય છે.

જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા જીવીત રહેતા.
તે દેવતા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો.
તે અગ્નિમાં રસોઈ પકાવી ને ખવાતી પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેતા.
સવારે પાછો એજ અગ્નિ જીવીત કરાતો આ ક્રમ જીવનપર્યંત ચાલતો.ચૂલા હતા ત્યારે એમાં અગ્નિ રાખા નીચે જીવંત જ રહેતો એ તો ચૂલા વપરાતા એ લોકોને હજી ય યાદ હશે. માત્ર રાંધણ છઠ્ઠની રાત્રિએ જ ચૂલામાથી રાખ કાઢી એને ટાઢો કરાતો. 

જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એજ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે.
અને તેજ અગ્નિથી દેહને અગ્નિદાહ આપાય છે.

મુત્યુ પછીનાં ચાર વિસામાઓ કહેવાય છે.

૧ પહેલો વિસામો ઘર આંગણે
૨ બીજો વિસામો ઝાંપા બહાર
૩ ત્રીજો વિસામો ગામનાં ગોંદરે
૪ ચોથો વિસામો સ્મશાનમાં.

ધર્મ , અર્થ , કામ ,
જેવી અને મોક્ષનાં આ ચાર વિસામા છે.
... એજ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે.

છેલ્લી પ્રદક્ષિણામાં પગેથી પાછા વળવાની પરંપરા છે માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવ-મય બની ગયો.શિવ મંદિરમાં પણ ક્યારેય પ્રદક્ષિણા પૂરી કરાતી નથી.જળાધારીની નિકથી પાછા વળવાનું હોય છે. શિવનાં ચરણ કદાપી ઓળંગી ન શકાય.

અગ્નિદાહ થી જળ, થળ, અગ્નિ, આકાશ અને પવન આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે,
તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે. હવે જો મૃતાત્માના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું એમ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. દીવાનાં દર્શન એટલા માટે જ કરવામાં આવે છે.

આત્માં અમર છે જીવ મરતો નથી.
જળ, થળ, અગ્નિ, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે.
જે જ્યાંથી આવ્યો હતો ત્યાં.

 માણસ મરતો જ નથી ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપમાં હવે તે નથી.જીવમાથી એ હવે શિવ બની ગયો છે. 

આ પણ વાંચો; પ્રાચીન મંદિરમાં હનુમાનજીની ડોક્ટર સ્વરૂપે પૂજા, જાણો મહત્વ

Tags :
Advertisement

.

×