Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

વર્ષમાં એક વખત ખુલતું Baba Ajaypal નું અનોખું મંદિર, જાણો રહસ્ય

અજયગઢ કિલ્લો 9મી સદીમાં ચંદેલ વંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પાછળથી, તેનું સાશન બુંદેશ શાસકોના હાથમાં આવ્યું હતું. આજે પણ, કિલ્લાને લઇને ઘણા રહસ્યો ચર્ચામાં છે. આ કિલ્લાની અંદર એક પ્રાચીન મંદિર છે, જેને Baba Ajaypal નું મંદિર કહેવામાં આવે છે, જેને સ્થાનિકો દેવતા તરીકે પૂજે છે.
વર્ષમાં એક વખત ખુલતું baba ajaypal નું અનોખું મંદિર  જાણો રહસ્ય
Advertisement
  • મધ્યપ્રદેશના અજયગઢ કિલ્લાને લઇને અનેક રહસ્ય
  • વર્ષમાં એક વખત મંદિર ખોલવામાં આવે છે
  • સ્થાનિકો પોતાના દેવતાનું પૂજન કરવા દૂરદૂરથી આવે છે
  • સરકારની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે

Ajaigarh Fort of Panna District : દર વર્ષની જેમ, 14-15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવામાં આવી રહી છે. દેશના વિવિધ ભાગોમાં આ તહેવાર અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. આ દિવસ સાથે કેટલીક ખાસ પરંપરાઓ પણ જોડાયેલી છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સ્થિત અજયગઢ કિલ્લામાં એક પ્રાચીન મંદિર (Baba Ajaypal) છે, જે ફક્ત મકરસંક્રાંતિ પર જ ખુલે છે. દૂર-દૂરથી લોકો અહીં મકરસંક્રાંતિ પર આવે છે. આ કિલ્લા અને મંદિરના રહસ્યો વિશે ચાલો જાણીએ વધુ.

Advertisement

લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે

ઇતિહાસકારો માને છે કે, અજયગઢ કિલ્લો 9મી સદીમાં ચંદેલ વંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પાછળથી, તેનું સાશન બુંદેશ શાસકોના હાથમાં આવ્યું હતું. આજે પણ, કિલ્લાને લઇને ઘણા રહસ્યો ચર્ચામાં છે. આ કિલ્લાની અંદર એક પ્રાચીન મંદિર છે, જેને બાબા અજય પાલનું (Baba Ajaypal) મંદિર કહેવામાં આવે છે, જેને સ્થાનિકો દેવતા તરીકે પૂજે છે. કિલ્લાની અંદર સ્થિત આ મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર મકરસંક્રાંતિ પર ખોલવામાં આવે છે. સ્થાનિક લોકો ઉપરાંત, દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે.

Advertisement

તળાવમાં સ્નાન કરવું શુભ મનાય છે

અજયગઢ કિલ્લામાં સ્થિત મંદિરમાં કોઈ મૂર્તિઓ નથી. આ મંદિરની મૂર્તિને રેવાના પુરાતત્વીય સંગ્રહાલયમાં એક દિવસ માટે રાખવામાં આવે છે, સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર ભક્તો દિવસભર બાબા અજયપાલની પૂજા કરે છે, અને બીજા દિવસે મૂર્તિને પુરાતત્વીય સંગ્રહાલયમાં પરત કરવામાં આવે છે. આ કાર્ય સરકારની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. કિલ્લાની નજીક એક તળાવ પણ છે, અને મકરસંક્રાંતિ પર આ તળાવમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.

સુરંગને લઇને અલગ રહસ્ય

અજયગઢ કિલ્લામાં અસંખ્ય બંધ સુરંગો છે. એવું કહેવાય છે કે ચંદેલા રાજાઓનો ખજાનો આ સુરંગોમાં છુપાયેલો છે. ઘણા લોકોએ આ ખજાનો શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઈ સફળ થયું નથી. કેટલાક લોકો રાત્રિના અંધારામાં પણ ગુપ્ત વિધિઓ કરવા માટે અહીં આવે છે. કિલ્લાની રચના દિવસ દરમિયાન પણ ખૂબ જ ભયાનક છે, તેથી કોઈ સાંજ પછી નજીક જવાની હિંમત કરતું નથી.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો -------- Ambaji : અંબાજીમાં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ: સ્થાપિત થશે ૧૬ ફૂટનું દિવ્ય ત્રિશૂલ

Tags :
Advertisement

.

×