Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું Akshaya Tritiyaનું સૌથી મોટું દાન, સોના-ચાંદી કરતા પણ છે વધુ કિંમતી

Akshaya Tritiya : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આ દિવસે શુભ કાર્યો માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. દર વર્ષે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના સુદ પખવાડિયાના ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે.
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું akshaya tritiyaનું સૌથી મોટું દાન  સોના ચાંદી કરતા પણ છે વધુ કિંમતી
Advertisement
  • Akshaya Tritiya : કોઈપણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત ગણાતા આ દિવસે દાનનું છે વિશેષ મહત્વ.
  • પ્રેમાનંદ મહારાજના મતે ભૌતિક વસ્તુઓ કરતા 'ભગવાનના નામનો જાપ' સૌથી મોટું દાન છે.
  • મંત્ર જાપ અને મૌન પાળવાથી અક્ષય તૃતીયા પર મળે છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ.
  • બહારનું પાણી પીવાનું ટાળી ઠાકુરજીને ભોગ ધરાવી પ્રસાદ લેવાની મહારાજની શીખ.

Akshaya Tritiya : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આ દિવસે શુભ કાર્યો માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. દર વર્ષે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના સુદ પખવાડિયાના ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ આખા દિવસને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. એટલે કે આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્તની જોવાની જરુરત હોતી નથી. આ વર્ષે અક્ષય તૃતીયા 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

Akshaya Tritiya :  શુભ કાર્ય માટે છે શુભ દિવસ

ઉલ્લેખનીય છે કે અક્ષય તૃતીયાના દિવસે, લોકો સોનું, ચાંદી અને કિંમતી વસ્તુઓ ખરીદે છે. દેવી લક્ષ્મીને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ અક્ષય તૃતીયા પર દાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. લોકો આ દિવસે ખોરાક, પાણી, કપડાં અને પૈસાનું દાન કરે છે. જોકે, વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે અક્ષય તૃતીયા પર સૌથી મોટું દાન શું છે તે જાહેર કર્યું છે. ચાલો જાણીએ.

Advertisement

akshaya tritiya premanand maharaj biggest donation Dan tips

Advertisement

સૌથી મોટું દાન શું છે?

પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જ્યારે દરેક વ્યક્તિ અક્ષય તૃતીયા પર ખોરાક, પાણી, કપડાં અને પૈસાનું દાન કરે છે, ત્યારે આ પવિત્ર દિવસે દેવતાના નામનો જાપ કરવાનું કાર્ય સર્વોચ્ચ માનવામાં આવે છે. જો તમે સતત રાધા અથવા ભગવાનનું નામ જપતા રહો અને તમારા મુખમાંથી નીકળતો અવાજ કોઈ દુઃખી વ્યક્તિના કાન સુધી પહોંચે, તો તેમના જીવનમાં રહેલો અંધકાર દૂર થઈ શકે છે. આ સૌથી મોટું દાન છે.

અક્ષય તૃતીયા પર આ ઉપાયો પણ અજમાવો

પ્રેમાનંદ મહારાજના મતે, અક્ષય તૃતીયા પર, બિનજરૂરી વાતો અને દલીલોથી દૂર રહો અને મૌન પાળો. મૌન દ્વારા સંચિત ઉર્જાનો ઉપયોગ ભગવાનની પૂજામાં કરી શકાય છે. આ દિવસે બહારનું પાણી ન પીવો. ઘરે ઠાકુરજીને ભોજન અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. આ દિવસે મંત્રોનો જાપ કરો. આનાથી અપાર લાભ મળે છે.

આ પણ વાંચો : Kedarnath Heli Yatra માટે આજથી બુકિંગ શરૂ, આ રીતે કરાવો નોંધણી

Tags :
Advertisement

.

×