Amarnath Yatra 2026 : બાબા બરફાનીના ભક્તો માટે ખુશખબર, આ દિવસથી શરૂ થશે યાત્રા!
- Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રાની તારીખ જાહેર!
- 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી 57 દિવસ ચાલશે પવિત્ર યાત્રા
- 15 એપ્રિલથી ઓનલાઈન અને 554 બેંક શાખાઓમાં રજિસ્ટ્રેશન શરૂ થશે
- 13 થી 70 વર્ષની વયના શ્રદ્ધાળુઓ માટે ઈ-કેવાયસી પ્રક્રિયા રહેશે ફરજિયાત
- પહલગામ અને બાલટાલ બંને રૂટ માટે હેલ્થ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે
- યાત્રીઓ માટે RFID કાર્ડ અને હેલિકોપ્ટર બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ
Amarnath Yatra 2026 : વર્ષ 2026 માટે પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra 2026) ની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે બાબા બરફાનીના દર્શન માટેની યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. કુલ 57 દિવસ સુધી ચાલનારી આ આસ્થાની સફરનો પ્રથમ જથ્થો જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પ (Base Camp) થી રવાના કરવામાં આવશે.
Amarnath Yatra 2026 : રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ફી
યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન 15 એપ્રિલ 2026 થી શરૂ થશે. શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (Shri Amarnathji Shrine Board - SASB) ની વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત, દેશની 554 બેંક શાખાઓમાં ઓફલાઈન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. રજિસ્ટ્રેશન માટે પ્રતિ વ્યક્તિ ₹150 ફી નક્કી કરવામાં આવી છે. આ વખતે બાયોમેટ્રિક ઈ-કેવાયસી (e-KYC) વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અને વય મર્યાદા
યાત્રામાં જોડાવા માટે શ્રદ્ધાળુઓએ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ (Compulsory Health Certificate - CHC) અપલોડ કરવું પડશે, જે 8 એપ્રિલ 2026 કે ત્યારબાદ અધિકૃત ડોક્ટર દ્વારા ઈશ્યુ કરાયેલું હોવું જોઈએ. આ યાત્રા માટે 13 થી 70 વર્ષની વયના લોકો જ પાત્ર છે. 6 મહિનાથી વધુની સગર્ભા મહિલાઓને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે નહીં.
યાત્રાના બે મુખ્ય રૂટ
પહલગામ માર્ગ (Pahalgam Route): આ માર્ગ પરંપરાગત અને પ્રમાણમાં સરળ છે, જેમાં ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે. ચંદનવાડી, પિસ્સૂ ટોપ અને શેષનાગ આ રૂટના મુખ્ય પડાવ છે.
બાલટાલ માર્ગ (Baltal Route): આ રૂટ ટૂંકો છે (આશરે 14 કિમી), પરંતુ ચઢાણ ખૂબ જ સીધું અને કઠિન છે. જે લોકો પાસે સમય ઓછો હોય તેઓ આ રૂટ પસંદ કરે છે, પરંતુ વડીલો માટે તે પડકારજનક હોઈ શકે છે.
હેલિકોપ્ટર સેવા (Helicopter Service) પહલગામ અને બાલટાલથી પંચતરણી સુધી ઉપલબ્ધ રહેશે. યાત્રા દરમિયાન દરેક શ્રદ્ધાળુ માટે આરએફઆઈડી કાર્ડ (RFID Card) ફરજિયાત છે, જે વેરિફિકેશન બાદ જમ્મુ-કાશ્મીરના નિયત કેન્દ્રો પરથી મેળવી શકાશે.
આ પણ વાંચો : દરેક મનોકામના પૂર્ણ કરવા માટે કયું વ્રત રાખવું? Premanand Maharaj એ બતાવ્યો ઈચ્છાપૂર્તિનો સૌથી સરળ રસ્તો


