Amarnath Yatra 2026 Advisory: નવી ટ્રાફિક માર્ગદર્શિકા અને સમયમર્યાદા
જમ્મુ અને કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી છે. નવયુગ ટનલ પાસે વાહનોની અવરજવર માટે નવા સમય નક્કી કરાયા છે.
જાણી લો નિયમો
- કાશ્મીરથી જમ્મુ તરફ જતા વાહનો સવારે 11:30 વાગ્યા પહેલા ટનલ પસાર કરી શકશે નહીં.
- જમ્મુથી કાશ્મીર તરફ જનારા વાહનો માટે બપોરે 3:00 વાગ્યા બાદ ટનલમાંથી પસાર થવા પર પ્રતિબંધ રહેશે.
- જે યાત્રાળુઓ નિર્ધારિત સમય પછી પહોંચશે તેમને નજીકના યાત્રા કેમ્પમાં રોકવામાં આવશે.
Amarnath Yatra 2026 Advisory: વિવિધ વિસ્તારો માટે કટ-ઓફ સમય
- પોલીસે રાજ્યના અલગ-અલગ વિસ્તારો માટે વાહનોની અવરજવરના સમય નક્કી કર્યા છે.
- મીર બજારથી શ્રીનગર અને અનંતનાગ જતા વાહનો માટે સાંજે 4:00 વાગ્યાનો સમય રહેશે.
- નવયુગ ટનલ તરફ જનારા વાહનોએ સાંજે 5:00 વાગ્યા સુધીમાં પસાર થવું પડશે.
- પંથાચોક શ્રીનગરથી ગાંદરબલ, બારામુલ્લા અને અનંતનાગ જતા વાહનોને બપોરે 3:00 વાગ્યા સુધી જ મંજૂરી મળશે.
Amarnath Yatra 2026 Advisory: મુસાફરી માટે અન્ય મહત્વની સૂચનાઓ
- શાદીપોરા સુમ્બલ વિસ્તારમાં મણિગામ અને ઉત્તર કાશ્મીર તરફ જતા વાહનો બપોરે 3:30 વાગ્યા સુધી નીકળી શકશે.
- મણિગામથી શ્રીનગર તરફના વાહનો બપોરે 1:00 વાગ્યા સુધી જઈ શકશે.
- બાલતાલ તરફ જતા વાહનો માટે સાંજે 5:00 વાગ્યાનો સમય નક્કી કરાયો છે.
- યાત્રાળુઓએ પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરી લેવું જોઈએ.
- ગાડીમાં પૂરતું ઈંધણ રાખવું અને રસ્તામાં બિનજરૂરી રોકાણ ટાળવું હિતાવહ છે.
સુરક્ષા અને સતર્કતા
સુરક્ષા તપાસ અને ટ્રાફિકના કારણે મુસાફરીમાં સમય લાગી શકે છે. પોલીસે તમામ શ્રદ્ધાળુઓને સત્તાવાર વેબસાઇટ કે ન્યૂઝ ચેનલ પરથી સતત અપડેટ રહેવા જણાવ્યું છે. હવામાનની સ્થિતિ અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાનો સમય લઈને નીકળવું સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓ આ નિયમોનું પાલન કરે તે ખૂબ જરૂરી છે જેથી કોઈપણ પ્રકારની અગવડતાથી બચી શકાય.
નોંધનીય છે કે આ વર્ષે 3 જુલાઈ 2026થી આ અદભૂત યાત્રાનો પ્રારંભ થશે. જે 28 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. 58 દિવસ સુધી ચાલનારી આ યાત્રા બાલટાલ અને પહલગામ આ બંને માર્ગોથી એકસાથે શરૂ થશે.
આ પણ વાંચો--- Yoga and Spirituality : પશુતામાંથી પશુપતિ બનવાની આંતરિક યાત્રા