Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anant Ambani ના 31માં જન્મદિનની મહાભેટ, અંબાણી પરિવાર સાળંગપુરમાં બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા

સાળંગપુર હનુમાનજીના સાનિધ્યમાં એક એવી ગૌશાળા આકાર લેવા જઈ રહી છે, જે પશુસેવાની વ્યાખ્યા બદલી નાખશે. અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીના 31માં જન્મદિન પર દાદાના ચરણોમાં ₹10 કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. વિદેશી ટેકનોલોજી અને દેશી ભક્તિના આ અનોખા સંગમ પાછળ કયો ભવ્ય પ્રોજેક્ટ છુપાયેલો છે અને તેની શું વિશેષતાઓ છે, તે ખરેખર જાણવા જેવું છે.
anant ambani ના 31માં જન્મદિનની મહાભેટ  અંબાણી પરિવાર સાળંગપુરમાં બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા
Advertisement
  • Anant Ambani  ના જન્મદિને સાળંગપુરમાં ગૌ-સેવાનું મહાપર્વ!
  • અંબાણી પરિવારે સાળંગપુર દાદાના ચરણોમાં ₹10 કરોડ અર્પણ કર્યા
  • 28 એકર પરિસરમાં સ્વીડિશ ટેકનોલોજીથી બનશે અત્યાધુનિક ગૌશાળા
  • ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન
  • 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થશે
  • અન્ય કોઈ દાતાના સહયોગ વગર અંબાણી પરિવાર પૂર્ણ કરશે ભવ્ય સંકલ્પ

Anant Ambani Birthday : ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur Dham) ફરી એકવાર ભક્તિ અને સેવના સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ+ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના મંગળ અવસરે અંબાણી પરિવારે ગૌ-સેવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં અંબાણી પરિવારે ₹10 કરોડની માતબર રકમ ગૌ-સેવા અર્થે અર્પણ કરી છે.

Anant Ambani: પ્રોજેક્ટની ભવ્યતા અને ટેકનોલોજી

આ પ્રોજેક્ટ હેઠળ સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે તેમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિશ્વવિખ્યાત કંપની 'ડીલાવલ' (DeLaval) ની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કુલ ₹15 કરોડના ખર્ચે તૈયાર થનારી આ હાઈટેક ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સમગ્ર ગૌશાળાના નિર્માણમાં અંબાણી પરિવાર 'મુખ્ય યજમાન' તરીકે જોડાયો છે અને આ સેવામાં અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.

Advertisement

Advertisement

સનાતન સંસ્કારોનું અનોખું ઉદાહરણ

સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ શિખરે હોવા છતાં આ પરિવારમાં રહેલા સનાતન સંસ્કારો વંદનીય છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ 'મારુતિયજ્ઞ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કોકિલાબા, મુકેશભાઈ અને નીતાબેન સહિત સમગ્ર પરિવારની આ ગૌ-સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ ગૌશાળા માત્ર એક ઈમારત નહીં, પરંતુ પશુ કલ્યાણ અને ટેકનોલોજીના સમન્વયનું 'અવિસ્મરણીય સંભારણું' (Unforgettable Landmark) બની રહેશે.

આ પણ વાંચો :ઉમેદવાર શોધવામાં AAP ના હવાતિયાં, આંતરિક મીટિંગનો isudan gadhvi નો કથિત ઓડિયો વાયરલ

Tags :
Advertisement

.

×