ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

"હું ભગવાનના ઘરે જવા માંગુ છું," પ્રેમાનંદ મહારાજે આવું કેમ કહ્યું? એલ્વિશ યાદવને જાહેરમાં કર્યા પ્રશ્ન

મહારાજે કિડની ફેલ હોવા છતાં સકારાત્મકતાનો સંદેશ આપ્યો. એલ્વિશે 10,000 વાર રાધા નામ જપવાનું વચન આપ્યું.
10:48 AM Oct 09, 2025 IST | Mihir Solanki
મહારાજે કિડની ફેલ હોવા છતાં સકારાત્મકતાનો સંદેશ આપ્યો. એલ્વિશે 10,000 વાર રાધા નામ જપવાનું વચન આપ્યું.
Elvish Yadav Premanand Maharaj

Elvish Yadav Premanand Maharaj : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા. તેમની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એલ્વિશ યાદવ હાથમાં કેટલીક વસ્તુઓ લઈને નમ્રતાપૂર્વક ઊભા છે. જ્યારે પ્રેમાનંદ મહારાજને એલ્વિશનો પરિચય કરાવવામાં આવે છે, ત્યારે મહારાજ તેમને સ્નેહપૂર્વક નામજપ કરવાની સલાહ આપે છે.

શરીરની ગંભીર સ્થિતિ છતાં આસ્થાની વાત (Elvish Yadav Premanand Maharaj)

વાતચીત દરમિયાન, પ્રેમાનંદ મહારાજે પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરતાં કહ્યું: "બધાની કૃપાથી હવે વાત કરવાની શક્તિ છે, પરંતુ સ્વાસ્થ્યની સ્થિતિ બરાબર નથી. ભગવાનની લીલા જુઓ, બંને કિડની ફેલ હોવા છતાં આજે પણ આપ સૌને મળી શકું છું." ભાવુક થઈને મહારાજે ઉમેર્યું: "હવે તો એ જ દિવસ આવવાનો છે જ્યારે ભગવાનના ઘરે પાછા ફરવાનું છે. આજે નહીં તો કાલે જવાનું જ છે. મારી આશા હવે શરીર પર નહીં, પણ માત્ર ભગવાનની ઇચ્છા પર છે."

રાધાનું નામ જ બધુ મંગળ કરશે (Elvish Yadav Premanand Maharaj)

મહારાજે હૃદયસ્પર્શી શબ્દોમાં કહ્યું: "પ્રેમાનંદ ભલે ચાલ્યા જશે, પણ 'રાધા નામ' ક્યારેય નહીં જાય. રાધા નામ જ બધાનું મંગળ કરશે, બધાને જીવનદાન આપશે અને બધી કામનાઓ પૂરી કરશે. પ્રેમાનંદનું શરીર મટી જશે, પણ રાધા નામની છાપ જન-જનમાં બની રહેશે." એલ્વિશને 10,000 વાર નામજપ કરવાની સલાહ મુલાકાત દરમિયાન મહારાજે એલ્વિશ યાદવને પૂછ્યું, "તમે નામ જપ કરો છો?" એલ્વિશે ઉત્તરમાં કહ્યું, "જી મહારાજ."

દસ હજાર વખત રાધના નામનો જપ કરો

આ સાંભળીને મહારાજે તેમને સલાહ આપી: "થોડું તો રોજ કરો. જેમ તમે વીંટી પહેરો છો, તેમ 'રાધા નામ'ને તમારા હૃદયમાં ધારણ કરો. દસ હજાર વાર રાધા રાધા રાધા નામનો જપ કરો, કરશો?" એલ્વિશે હસતાં હસતાં જવાબ આપ્યો: "દસ હજાર." મહારાજે સમજાવ્યું કે 24 કલાકમાં જ્યારે પણ સમય મળે, મનમાં રાધા નામનો જાપ કરતા રહો. નામજપ જ જીવનની સાચી શક્તિ છે.

યુવાનો માટે મહારાજનો ગહન સંદેશ

પ્રેમાનંદ મહારાજે આ વાતચીત દરમિયાન દેશના યુવાનો માટે પણ એક ગહન સંદેશ આપ્યો:"આપણા દેશના યુવાનોએ સમજવું જોઈએ કે તેમની પાછળ લાખો લોકો ચાલે છે. જો તેઓ શરાબનો ગ્લાસ લઈને પીતા દેખાશે, તો હજારો લોકો તે જ કરવા લાગશે. પરંતુ જો તેઓ રાધા રાધા બોલશે, તો લાખો જીભ પણ રાધા રાધા બોલશે."

ખરાબ આદતોથી દૂર રહેવાની આપી સલાહ

મહારાજે યુવાનોને નશા અને ખરાબ આદતોથી દૂર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે વ્યસન ભલે આ જીવનમાં થોડું સુખ આપે, પણ તેનો અંત સારો હોતો નથી. સચ્ચા સુખનો માર્ગ માત્ર ભક્તિ અને સાચા કર્મોમાં જ છે. પ્રેમાનંદ મહારાજના આ શબ્દોએ એલ્વિશ યાદવ તેમજ તેમના ચાહકોના હૃદયને સ્પર્શી લીધા છે. સોશિયલ મીડિયા પર આ મુલાકાતને એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે પ્રસિદ્ધિની સાથે અધ્યાત્મનું સંતુલન જાળવવું એ જ જીવનની સાચી ઉન્નતિ છે.

આ પણ વાંચોShukra Rashi Parivartan : 9 ઑક્ટોબરે કન્યામાં શુક્ર, 3 રાશિઓને મળશે ધનલાભ

Tags :
Elvish Yadav Premanand MaharajElvish Yadav VrindavanPremanand Maharaj AdviceRadha Naam Jaap
Next Article