Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Hanuman Jayanti 2026 : આ તારીખે ઉજવાશે બજરંગબલીનો 'જન્મોત્સવ'

Hanuman Jayanti 2026, ની તારીખને લઇને ભક્તોમાં ભારે અવઢવનો માહોલ જોવા મળી રહ્યો છે, હનુમાન જયંતિ પર તેમની પૂજા કરવાથી ભય, રોગ અને પ્રતિકૂળતા દૂર થાય છે. પંચાંગ અનુસાર, ભગવાન હનુમાનનો જન્મ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જો કે, આ વખતે લોકોમાં તારીખ અંગે મૂંઝવણ છે, કારણ કે, પૂર્ણિમાના દિવસ બંને દિવસે આવે છે.
hanuman jayanti 2026   આ તારીખે ઉજવાશે બજરંગબલીનો  જન્મોત્સવ
Advertisement
  • Hanuman Jayanti 2026, ની તારીખને લઇને અવઢવ
  • બે તિથિ આવતી હોવાથી ભક્તોમાં અસ્પષ્ટતા વ્યાપી
  • હનુમાનજીને પ્રસન્ન કરવા માટેની ઉત્તમ તક ટૂંક સમયમાં આવશે

Hanuman Jayanti 2026 : હિન્દુ ધર્મમાં, સંકટમોચન બજરંગબલીનો જન્મ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હનુમાનને ભગવાન શિવનો (Lord Shiva) અવતાર માનવામાં આવે છે. તેથી, તેમને ભગવાન શિવનો રુદ્ર અવતાર (Rudra Avatar) પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન હનુમાન ભગવાન શ્રી રામના (Lord Shree Ram) પરમ ભક્ત અને આઠ સિદ્ધિઓના દાતા છે. હનુમાન જયંતિ પર તેમની પૂજા કરવાથી ભય, રોગ અને પ્રતિકૂળતા દૂર થાય છે. પંચાંગ અનુસાર, ભગવાન હનુમાનનો જન્મ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જો કે, આ વખતે લોકોમાં તારીખ અંગે મૂંઝવણ છે, કારણ કે, પૂર્ણિમાના દિવસ બંને દિવસે આવે છે.

Hanuman Jayanti 2026, તિથિના શુભમૂહુર્ત

આ વર્ષે, હનુમાન જયંતિ પર સવાર અને સાંજ એમ ત્રણ શુભ મુહૂર્ત હશે. પંચાંગ અનુસાર, 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ પર પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 6:11 થી 7:45 સુધીનો છે. આ પછી, બપોરે અભિજિત મુહૂર્ત બપોરે 12 થી 12:50 વાગ્યા સુધીનો છે. આ પછી, પૂજા માટે બીજો શુભ સમય સાંજે 6:39 થી 8:06 વાગ્યા સુધી રહેશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- Chardham Yatra 2026: સાવધાન! ગ્રીન કાર્ડ વગર ચારધામના રૂટ પર વાહન લઈ ગયા તો થશે ભારે દંડ, આજથી પ્રક્રિયા શરૂ

Hanuman Jayanti 2026, આ તારીખે ઉજવાશે પર્વ

ભવિષ્ય પંચાંગ મુજબ, આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા 1 એપ્રિલના રોજ સવારે 7:05 થી 2 એપ્રિલના રોજ સવારે 7:42 વાગ્યા સુધી રહેશે. તેથી, ઉદયતિથીને કારણે, 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે.

શનિદોષમાં રાહત મળશે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન હનુમાનને શક્તિ, ભક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત છે, અને તેમને સંકટમોચન તરીકે ઓળખવામાં આવે છે, જે તેમના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. હનુમાન જયંતિ પર યોગ્ય વિધિઓ સાથે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ભય, રોગ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, અને શનિ દોષ અને ગ્રહોના અવરોધોથી પણ રાહત મળે છે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો ----------- Pradosh Vrat 2026 : સોમવારે સર્જાશે રવિયોગ, આ રીતે ભગવાનને પ્રસન્ન કરો

Tags :
Advertisement

.

×