Jagannath Rath Yatra 2026 : ભક્તિ, પરંપરા અને આસ્થાનો મહાપર્વ, જાણો રથયાત્રાનું મહત્વ અને ત્રણેય દિવ્ય રથોની વિશેષતા
Jagannath Rath Yatra 2026 : ઓડિશા (Odisha)ના પુરી (Puri) સ્થિત શ્રી જગન્નાથ મંદિર (Jagannath Temple) ભારતના ચાર ધામ (Char Dham) પૈકીનું એક પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે. અહીં દર વર્ષે યોજાતી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) દેશના સૌથી પ્રાચીન અને ભવ્ય ધાર્મિક ઉત્સવોમાંની એક છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું અનોખું પ્રતિક પણ છે. વર્ષ 2026માં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા 16 જુલાઈથી શરૂ થશે અને 24 જુલાઈએ બહુદા યાત્રા (Bahuda Yatra) સાથે પૂર્ણ થશે. દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ઉત્સવમાં જોડાઈને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
રથયાત્રા 2026ની તારીખો અને ધાર્મિક મહત્ત્વ
જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ (Lord Jagannath), તેમના મોટા ભાઈ બલભદ્ર (Balabhadra) અને બહેન સુભદ્રા (Subhadra)ની પવિત્ર મૂર્તિઓને ભવ્ય રીતે શણગારવામાં આવે છે. ત્યારબાદ તેમને વિશાળ રથોમાં બિરાજમાન કરીને જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર (Gundicha Temple) સુધી લઈ જવામાં આવે છે. ગુંડીચા મંદિરને ભગવાનની માસીનું ઘર માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, રથયાત્રામાં ભાગ લેવો અથવા માત્ર તેનું દર્શન કરવું પણ અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રથના દોરડા ખેંચનાર ભક્તોના પાપોનો નાશ થાય છે અને તેમને આધ્યાત્મિક શાંતિ તેમજ મોક્ષ (Salvation)ની પ્રાપ્તિ થાય છે.
ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ (Jagannath Rath Yatra 2026)
ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ (Nandighosh Rath) તરીકે ઓળખાય છે. આ રથમાં 16 પૈડાં હોય છે અને તેનું નિર્માણ 332 લાકડાના ટુકડાઓથી કરવામાં આવે છે. આશરે 45 ફૂટ ઊંચા આ રથનો મુખ્ય રંગ લાલ અને પીળો છે. રથનું નિર્માણ અક્ષય તૃતીયા (Akshaya Tritiya)ના શુભ દિવસે શરૂ કરવામાં આવે છે. આ રથ પર ભગવાન હનુમાન (Hanuman) અને ભગવાન નરસિંહ (Narasimha)ના પ્રતિકો પણ દર્શાવવામાં આવે છે.
બલભદ્રનો તાલધ્વજ રથ
ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ (Taladhwaja Rath) કહેવાય છે. તેમાં 14 પૈડાં હોય છે અને તેની ઊંચાઈ લગભગ 44 ફૂટ છે. વાદળી રંગથી શણગારાયેલા આ રથને શોભાયાત્રામાં સૌથી આગળ રાખવામાં આવે છે. મોટા ભાઈ તરીકે બલભદ્રને પ્રથમ સ્થાન આપવામાં આવે છે.
સુભદ્રાનો દર્પદલન રથ
ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાનો રથ દર્પદલન (Darpadalana Rath) તરીકે ઓળખાય છે. આ રથમાં 12 પૈડાં હોય છે અને તેની ઊંચાઈ આશરે 43 ફૂટ છે. કાળા રંગથી શોભિત આ રથ યાત્રામાં મધ્યસ્થાને રહે છે. ભક્તો આ રથને પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી ખેંચે છે.
દેશ-વિદેશમાંથી ઉમટે છે લાખો ભક્તો
જગન્નાથ રથયાત્રા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. વિશ્વના વિવિધ દેશોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. આ ઉત્સવ ભક્તિ, સમર્પણ અને એકતાનું જીવંત ઉદાહરણ માનવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે અને સમગ્ર પુરી શહેર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠે છે.
આ પણ વાંચો : Rath Yatra 2026 નું કાઉન્ટડાઉન શરૂ: અક્ષયતૃતિયાએ રથ પૂજન સાથે તૈયારીઓનો પ્રારંભ


