ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kanaiyo : જરા પાછળ પડો-કનૈયો તમારો

Kanaiyo : કનૈયો એટ્લે કે માખણચોર,ક્રુષ્ણ એટ્લે ચીતચોર. ભગવાનનું કામ જ ચોરી કરવાનું...  એક ભાગવત કથા વાંચનાર બ્રાહ્મણ એક ગામમાં કથા વાંચી રહ્યા હતા. તે દિવસે તેમણે નંદલાલ, કનૈયાના સૌંદર્ય, તેમના આભૂષણોનું ખૂબ જ મનમોહક વર્ણન કર્યું. ત્યાંથી પસાર થતો એક ચોર પણ કથા સાંભળવા બેસી ગયો હતો. જ્યારે તેણે આભૂષણો વિશે સાંભળ્યું, ત્યારે તેને લાલચ જાગી.
05:39 PM Nov 28, 2025 IST | Kanu Jani
Kanaiyo : કનૈયો એટ્લે કે માખણચોર,ક્રુષ્ણ એટ્લે ચીતચોર. ભગવાનનું કામ જ ચોરી કરવાનું...  એક ભાગવત કથા વાંચનાર બ્રાહ્મણ એક ગામમાં કથા વાંચી રહ્યા હતા. તે દિવસે તેમણે નંદલાલ, કનૈયાના સૌંદર્ય, તેમના આભૂષણોનું ખૂબ જ મનમોહક વર્ણન કર્યું. ત્યાંથી પસાર થતો એક ચોર પણ કથા સાંભળવા બેસી ગયો હતો. જ્યારે તેણે આભૂષણો વિશે સાંભળ્યું, ત્યારે તેને લાલચ જાગી.

Kanaiyo : કનૈયો એટ્લે કે માખણચોર,ક્રુષ્ણ એટ્લે ચીતચોર. ભગવાનનું કામ જ ચોરી કરવાનું... 

એક ભાગવત કથા વાંચનાર બ્રાહ્મણ એક ગામમાં કથા વાંચી રહ્યા હતા. તે દિવસે તેમણે નંદલાલ, કનૈયાના સૌંદર્ય, તેમના આભૂષણોનું ખૂબ જ મનમોહક વર્ણન કર્યું.

ત્યાંથી પસાર થતો એક ચોર પણ કથા સાંભળવા બેસી ગયો હતો. જ્યારે તેણે આભૂષણો વિશે સાંભળ્યું, ત્યારે તેને લાલચ જાગી.

Kanaiyo-પંડિતજીની ચાલાકી

તે દિવસની કથા સમાપ્ત થતાં, પંડિતજીને ખૂબ દક્ષિણા મળી, જેની પોટલી બનાવીને તેઓ લઈ ચાલ્યા. થોડી સૂમસામ જગ્યાએ પહોંચ્યા, તો ચોર સામે આવી ગયો.

તેણે પૂછ્યું કે આ શ્યામ મનોહર, કૃષ્ણ ક્યાં રહે છે. મારે તેમના ઘરેથી દાગીના ચોરવા છે. સરનામું બતાવો.

પંડિતજી ડરી ગયા. તેમને પોતાના સામાનનો ભય હતો. તેથી તેમણે બુદ્ધિ વાપરી અને કહ્યું કે તેમનું સરનામું મારા થેલામાં લખેલું છે. અહીં અંધારું છે, થોડા અજવાળામાં ચાલો તો જોઈને જણાવીશ.

ચોર તૈયાર થઈ ગયો. તેને ઉતાવળ હતી. પંડિતજીએ વધુ એક ચાલાકી કરી. પોતાનો બોજ તેના માથા પર લાદી દીધો અને એવી જગ્યાએ પહોંચીને રોકાયા જ્યાં લોકોની અવરજવર વધુ હતી.

પછી તેમણે થેલામાંથી પોથી ખોલી, જોવાનો ઢોંગ કરતા રહ્યા. વિચારીને બોલ્યા, "વૃંદાવન ચાલ્યા જાઓ. મને જ્યારે કૃષ્ણજી મળ્યા હતા, ત્યારે તેમણે વૃંદાવન જ જણાવ્યું હતું."

Kanaiyo-વૃંદાવન તરફનો ભક્તિમય પ્રવાસ

ચોર સંતુષ્ટ થઈ ગયો અને પંડિતજી પાસેથી આશીર્વાદ લઈને વિદાય થયો. ચોર રસ્તો પૂછતો, ભટકતો વૃંદાવન તરફ ચાલી નીકળ્યો.

રસ્તામાં તેણે ખૂબ જ તકલીફો સહન કરી. જ્યાં-જ્યાં પણ કનૈયાના મંદિરો હતા, તેમાં દર્શન માટે ગયો. દર્શન શું, તે તો તેમના આભૂષણો જોવા જતો હતો કે આખરે કેવા આભૂષણો હશે કનૈયા પાસે.

આભૂષણો નિહાળવામાં તેણે એટલા મંદિરોમાં ભગવાનની એટલી બધી છબીઓ જોઈ લીધી કે તેને ખુલ્લી આંખોથી પણ પ્રભુ દેખાતા. રાત્રે મંદિરોમાં રોકાઈ જતો અને ત્યાં જ થોડો પ્રસાદ ખાઈ લેતો.

ભગવાનની કસોટી અને ચોરનું પરિવર્તન

માખણચોર ભગવાનના આભૂષણચોર પર રીઝી ગયા. ચોરના મનમાં પ્રભુના આભૂષણો પ્રત્યેની કામના જ ભગવાનને ગમી ગઈ.

ગોપાલ તેને ઠેર-ઠેર દર્શન આપતા, જુદા-જુદા આભૂષણોથી સજેલા બાળકોના રૂપમાં, પરંતુ ચોરને કાનો હાથમાં નહોતો આવતો. એક વાર કનૈયાની પાછળ પાછળ ચાલ્યો. કોઈ પના ભોગે  તેને તો અસલી ગોપાલના આભૂષણો જોઈતા હતા.

ચોર પરેશાન કે ક્યારે તે કનૈયાના ધામ પહોંચે ? અને કનૈયા પરેશાન કે તે પાછળ પાછળ આટલો દૂર શા માટે આવી  રહ્યો છે ? માંગે તો હું એને જ્યારે હું  તેને બધા આભૂષણો આપી દઉં.

ચોરને પણ ધીમે ધીમે ભગવાનને ભક્ત પ્રત્યે પ્રેમ થયો, તો ભક્તના મનમાં રહેલો ચોરીનો ભાવ પ્રેમમાં બદલાઈ ગયો.

ગોકુળમાં પ્રભુના સાક્ષાત્ દર્શન

ચોર ગોકુળ પહોંચી ગયો. એક જગ્યાએ નદી કિનારે ભગવાને તેને ગાયો ચરાવતા, તે જ રૂપમાં દર્શન આપ્યા જે તેણે મંદિરોમાં જોયું હતું.

જેટલી છબીઓ જોઈ હતી, બધી એક-એક કરીને બતાવી દીધી, આભૂષણોની સાથે. ચોર તેમના ચરણોમાં પડી ગયો.

પ્રભુએ આભૂષણો ઉતારીને આપ્યા અને બોલ્યા- "લે, તું આના માટે જ વ્યર્થ આટલો દૂર ચાલ્યો આવ્યો. હું તો ક્યારનોય તને આપી રહ્યો હતો."

આભૂષણો નહીં, પ્રભુની ચોરી!

ચોર બોલ્યો- "તમને જોઈ લીધા, તો આભૂષણોની ચમક ઝાંખી પડી ગઈ. હવે તો તમને ચોરીશ."

ભગવાન હસ્યા- "મને ચોરીશ? ક્યાં લઈને જઈશ?"

ચોર બોલ્યો- "તે તો નથી ખબર, વિચારીને જણાવું છું, પરંતુ આભૂષણો નથી જોઈતા. હવે તો મને તમારી જ લાલસા છે." ચોર વિચારતો રહ્યો, પ્રભુ હસતા રહ્યા. ચોરે બુદ્ધિ દોડાવી, પણ કોઈ જગ્યા જ ન સૂઝી.

તેને ચિંતા હતી કે આટલી મહેનતથી તે તેમને ચોરીને લઈ જાય અને પછી સુરક્ષા ન કરી શકે તો કોઈ બીજું ચોરી લેશે.

ચોરની અનોખી શરત

સોચતે-સોચતે તેને ઊંઘ આવવા લાગી. તેને ઉપાય સૂઝ્યો – "જ્યાં સુધી હું નિર્ણય ન કરી લઉં કે તમને ક્યાં રાખીશ, તમે મને રોજ દર્શન આપતા રહો, જેથી મને ભરોસો રહે કે મારો ચોરીનો સામાન સુરક્ષિત છે."

પ્રભુ ખૂબ હસ્યા. તેમણે કહ્યું- "ઠીક છે, એમ જ થશે, પરંતુ તારે થોડા આભૂષણો તો લેવા પડશે."

ચોરે ના પાડી દીધી. પ્રભુ રોજ સાંજે તેને દર્શન આપતા. તે પોતાના ગામ પાછો ફર્યો.

અસલી સાધુ કોણ?

પંડિતજી કથા વાંચી રહ્યા હતા. ચોરે તેમને બધી વાત જણાવી. તેમને વિશ્વાસ ન થયો, તો સાંજે જ્યારે પ્રભુ દર્શન આપવા આવ્યા, ત્યારે તેમનું એક આભૂષણ માંગીને બતાવ્યું અને સાબિત કરી દીધું.

પંડિતજી બોલ્યા- "ભાઈ ચોર, અસલી સાધુ તો તું છે. હું તો કાન્હાનું નામ લઈને બસ કથાઓ સંભળાવતો રહ્યો અને આજીવિકા મેળવતો રહ્યો, પરંતુ તેં તો તેમને જ જીતી લીધા."

લુટા કર ખુદ કો જબ આયે તેરી બાંકી અદાઓ પર।।

દિલ કે મામલે મેં, હમ ભી અમીર હો ગયે 

આ પણ વછો :

Tags :
Kanaiyo
Next Article