જ્યોતિષીય ગણતરી મુજબ કેતુ હંમેશા ઉલટી ચાલે ચાલે છે અને જ્યારે પણ તે પોતાનું નક્ષત્ર બદલે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. 30 જૂનથી શરૂ થઈ રહેલો આ ગોચર સમયગાળો નીચેની ચાર રાશિઓ માટે સુવર્ણ સમય લઈને આવી રહ્યો છે.
Ketu Gochar 2026 : મેષ અને સિંહ રાશિના જાતકોને મળશે નવી ઓળખ
મેષ રાશિ (Aries): આ સમયગાળા દરમિયાન તમારા માટે આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટકેલા હતા, તો તે પાછા મળવાની પૂરેપૂરી સંભાવના છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં નવું પદ, પ્રમોશન અથવા મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે.
સિંહ રાશિ (Leo): મઘા નક્ષત્રનો સ્વામી સિંહ રાશિ સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી આ ગોચર તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો કરશે. વેપાર સાથે જોડાયેલા લોકોને આ સમયમાં નવા સોદાઓથી મોટો આર્થિક મુનાફો થવાના સ્પષ્ટ સંકેતો છે.
વૃશ્ચિક અને કુંભ રાશિ માટે ભાગ્યોદય અને બિઝનેસમાં બમ્પર પ્રગતિ
વૃશ્ચિક રાશિ (Scorpio): આ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન ભાગ્યના દ્વાર ખોલનારૂં સાબિત થશે. જો તમે ભૂતકાળમાં જમીન, મકાન કે શેરબજારમાં કોઈ રોકાણ કર્યું હશે, તો હવે તેમાંથી મોટો નફો મળવાનો શરૂ થઈ જશે.
કુંભ રાશિ (Aquarius): વ્યાપારી દ્રષ્ટિકોણથી આ સમયગાળો તમારા માટે બેસ્ટ રહેશે. ખાસ કરીને જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ ચલાવે છે તેમને અપેક્ષા કરતાં વધુ નફો મળી શકે છે. તમારી બધી જ લાંબા ગાળાની યોજનાઓ આ સમયે સફળ થશે.
કેતુના અશુભ પ્રભાવથી બચવા અને શુભ ફળ વધારવાના સરળ ઉપાયો
જો તમે આ ગોચરનો મહત્તમ લાભ લેવા માંગતા હોવ, તો નિયમિતપણે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરો, કારણ કે ગણપતિની આરાધનાથી કેતુના નકારાત્મક પ્રભાવો શાંત થાય છે. આ સિવાય જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, ધાબળા કે પગરખાંનું દાન કરવું અને પિતૃઓના નામે તર્પણ કે જલ અર્પણ કરવું વિશેષ કલ્યાણકારી રહેશે
આ પણ વાંચો : Amarnath Yatra : યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે, No-Fly Zone જાહેર