Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

મહાભારતમાં પાંડવ પક્ષે શક્તિશાળી યોદ્ધાના મોતથી ભગવાન થયા હતા ખુશ, જાણો કારણ

મહાભારત અનુસાર, જ્યારે કર્ણ દ્વારા ઘટોત્કચનો વધ થયો, ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ જ ખુશ થયા. ભીમે તેની ખુશી અનુભવી, અને કારણ પૂછ્યું હતું, જે અંગે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, "હવે અર્જુનને કર્ણથી કોઈ ખતરો નથી. ફક્ત કર્ણ પાસે એવી શક્તિ હતી, જે અર્જુનને નુકસાન પહોંચાડી શકે. તેથી જ મેં કર્ણને અત્યાર સુધી અર્જુનનો સામનો કરવા દીધો નથી."
મહાભારતમાં પાંડવ પક્ષે શક્તિશાળી યોદ્ધાના મોતથી ભગવાન થયા હતા ખુશ  જાણો કારણ
Advertisement
  • ભીમનો પુત્ર પ્રચંડ શક્તિશાળી હતો
  • તે રાક્ષસ કુળનો હોવાથી અનેક સાધુ-સંતોનો પ્રતાડિત કર્યા હતા
  • દુર્યોધને તેના મિત્ર પાસે જઇને મદદ માંગી હતી

The interesting story of Ghatotkacha : કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધમાં, બંને પક્ષના ઘણા વીર યોદ્ધાઓ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં, પાંડવો પક્ષનો એક અત્યંત શક્તિશાળી યોદ્ધા માર્યો ગયો હતો, આ યોદ્ધા એટલો બળવાન હતો કે, તે થોડા જ સમયમાં કૌરવોને હરાવી શકતો હતો, અને પાંડવોને વિજય અપાવી શકતો હતો, પરંતુ આવું થયું નહતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભગવાન કૃષ્ણ આ પાંડવ યોદ્ધાના મૃત્યુથી ખૂબ ખુશ હતા. ચાલો તેના વિશે વધુ જાણીએ.

Advertisement

દુર્યોધને મિત્રને રોકવા કહ્યું

મહાભારત અનુસાર, ભીમનો પુત્ર ઘટોત્કચ રાક્ષસ કુળનો હતો. રાક્ષસ હોવાને કારણે, તેની પાસે ઘણી પ્રચંડ દૈવી અને જાદુઈ શક્તિઓ હતી. જ્યારે ઘટોત્કચ પાંડવો પક્ષે યુદ્ધમાં ઉતર્યો, ત્યારે તેણે કૌરવની સેનામાં ગભરાટ ફેલાવ્યો હતો. થોડી જ વારમાં, કૌરવ સેનાનો પરાજય થયો હતો. કૌરવના સેનાપતિ, ગુરુ દ્રોણાચાર્ય પણ ઘટોત્કચને મારી શક્યા નહતા. દુર્યોધન પછી તેના મિત્ર કર્ણ પાસે ગયો, અને તેને ઘટોત્કચને રોકવા કહ્યું હતું.

Advertisement

કર્ણએ ઘટોત્કચને આ રીતે સમાપ્ત કર્યો

ઘટોત્કચને મારવા માટે કોઈ સક્ષમ નહોતું, તો કર્ણે તેને કેવી રીતે માર્યો ? આ પ્રશ્નનો જવાબ છે કે, કર્ણ પાસે દેવરાજ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલી દૈવી શક્તિ હતી, જેનો ઉપયોગ તે અર્જુનને મારવા માટે કરવાનો હતો. જો કે, જ્યારે કર્ણને જોયું કે, ઘટોત્કચ સમગ્ર કૌરવ સેનાનો નાશ કરવા જઈ રહ્યો છે, ત્યારે તેણે અનિચ્છાએ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલી શક્તિથી ઘટોત્કચનો વધ કર્યો હતો.

મૃત્યુ પર ખુશીનું આ રહ્યું કારણ

મહાભારત અનુસાર, જ્યારે કર્ણ દ્વારા ઘટોત્કચનો વધ થયો, ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ જ ખુશ થયા. ભીમે તેની ખુશી અનુભવી, અને કારણ પૂછ્યું હતું, જે અંગે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, "હવે અર્જુનને કર્ણથી કોઈ ખતરો નથી. ફક્ત કર્ણ પાસે એવી શક્તિ હતી, જે અર્જુનને નુકસાન પહોંચાડી શકે. તેથી જ મેં કર્ણને અત્યાર સુધી અર્જુનનો સામનો કરવા દીધો નથી." આ વિશે વિચારીને હું ખુશ છું.

ઘટોત્કચ અધર્મી હતો

શ્રી કૃષ્ણએ ભીમને એમ પણ કહ્યું હતું કે, "રાક્ષસ જાતિનો હોવાથી, ઘટોત્કચ પણ અધર્મી હતો. તેણે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા, અને ઋષિઓ અને સંતોને પણ ત્રાસ આપ્યો હતો. જો આજે કર્ણ દ્વારા તેની હત્યા ન થઈ હોત, તો મારે ભવિષ્યમાં તેનું જીવન સમાપ્ત કરવું પડત."

Disclaimer : આ લેખમાં દર્શાવેલ માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.

આ પણ વાંચો ------  Tulsi Pujan Diwas 2025: તુલસી પૂજન પર આ વસ્તુ અર્પણ કરો, ધન સાથે સુખ-સમૃદ્ધિ મળશે

Tags :
Advertisement

.

×