Mahashivratri 2026 Muhurat : મહાશિવરાત્રી પર 10 શુભ યોગનો મહાસંયોગ, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને પારણાનો સાચો સમય
- આવતીકાલે દેશભરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
- જલાભિષેક માટે સવારે 08:24 થી બપોરે 12:35 સુધી શ્રેષ્ઠ સમય
- કુંભ રાશિમાં બુધાદિત્ય અને શશ સહિત 4 રાજયોગ રચાશે
- 15 ફેબ્રુઆરીએ વ્રત અને 16 ફેબ્રુઆરીએ પારણા કરી શકાશે
- 'ૐ નમઃ શિવાય' ના નાદ સાથે મંદિરોમાં શિવભક્તોની ભીડ ઉમટશે
Mahashivratri 2026 Muhurat : સમગ્ર દેશમાં આવતીકાલે મહાશિવરાત્રી (Mahashivratri) નો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ફાગણ વદ ચૌદસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હોવાની માન્યતા છે, તેથી આ દિવસ શિવભક્તો માટે અત્યંત મહત્વનો છે. આ વર્ષે મહાશિવરાત્રી પર ગ્રહો નક્ષત્રોની એવી સ્થિતિ સર્જાઈ રહી છે જે ભક્તો માટે અત્યંત ફળદાયી સાબિત થશે.
Mahashivratri 2026 Muhurat : જલાભિષેક માટેના શુભ મુહૂર્ત
મહાશિવરાત્રી પર શિવલિંગનો જલાભિષેક (Jalabhishek) કરવા માટે ચાર મુખ્ય મુહૂર્ત રહેશે:
- પ્રથમ મુહૂર્ત: સવારે 08:24 થી 09:48 સુધી
- બીજું મુહૂર્ત: સવારે 09:48 થી 11:11 સુધી
- ત્રીજું મુહૂર્ત: સવારે 11:11 થી બપોરે 12:35 સુધી
- ચોથું મુહૂર્ત: સવારે 06:11 થી 07:47 સુધી
Mahashivratri 2026 Muhurat : ચાર પ્રહરની પૂજા
નિશીથ કાલ પૂજા અને ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે:
- પ્રથમ પ્રહર: 15 ફેબ્રુઆરી, સાંજે 06:11 થી રાત્રે 09:23 સુધી
- બીજો પ્રહર: રાત્રે 09:23 થી 12:35 સુધી
- ત્રીજો પ્રહર: 16 ફેબ્રુઆરી, રાત્રે 12:35 થી સવારે 03:47 સુધી
- ચોથો પ્રહર: 16 ફેબ્રુઆરી, સવારે 03:47 થી 06:59 સુધી
પંચાંગ અને પારણા
ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ (Chaturdashi Tithi) 15 ફેબ્રુઆરીએ સાંજે 05:04 વાગ્યે શરૂ થશે અને 16 ફેબ્રુઆરીએ સાંજે 05:34 વાગ્યે પૂર્ણ થશે. વ્રત 15 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે અને પારણા 16 ફેબ્રુઆરીએ સવારે 06:59 થી બપોરે 03:24 વચ્ચે કરી શકાશે.
10 શુભ યોગ અને 4 રાજયોગનો સમન્વય
આ વર્ષે શિવ યોગ (Shiva Yoga), સર્વાર્થ સિદ્ધિ (Sarvartha Siddhi), પ્રીતિ, આયુષ્માન સહિતના 10 શુભ યોગ બની રહ્યા છે. સાથે જ કુંભ રાશિમાં બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ, શશ મહાપુરુષ અને શુક્રાદિત્ય જેવા 4 મોટા રાજયોગ પણ રચાશે.
પૂજાવિધિ
શિવલિંગ પર ગંગાજળ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, સાકર), બિલીપત્ર (Belpatra), ધતૂરો, ભાંગ અને શમી પત્ર અર્પણ કરી 'ૐ નમઃ શિવાય' (Om Namah Shivaya) મંત્રનો જાપ કરવો જોઈએ. સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ પીને સૃષ્ટિની રક્ષા કરનાર નીલકંઠ મહાદેવની આ દિવસે આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો : Mahashivratri 2026 : શિવજીવને પ્રિય બીલીપત્ર વિશે આ નિયમો જાણી લો


