Nirjala Ekadashi 2026: એક વ્રત જે આપે છે વર્ષભરની એકાદશીઓનું પુણ્ય, જાણો વિધિ અને ઉપાય
હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મોક્ષ અને પુણ્ય મેળવવાનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓમાં 'નિર્જલા એકાદશી'નું સ્થાન અત્યંત મહત્વનું છે. આ વ્રત એટલું પ્રભાવશાળી છે કે તેના પાલનથી વર્ષની તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. આવનારા ૨૫ જૂન ૨૦૨૬ના રોજ આ પવિત્ર તિથિ આવી રહી છે, ત્યારે જાણો આ વ્રતની વિધિ અને સમૃદ્ધિ મેળવવાના સરળ ઉપાયો વિશે.
Advertisement
Nirjala Ekadashi 2026: હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ તેમાં 'નિર્જલા એકાદશી'નું સ્થાન સર્વોપરી છે. આ વ્રત જેઠ માસની સુદ એકાદશી તિથિએ રાખવામાં આવે છે. આ વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વ્રત આકરું હોવા છતાં તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વ્યક્તિને વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

