Nirjala Ekadashi 2025 : ભગવાન વિષ્ણુના પ્રિય પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર
આવતીકાલે 6 જૂનના રોજ નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) છે. આ પર્વ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને બહુ પ્રિય છે. નિર્જળા એકાદશીના રોજ કરવામાં આવતી ખાસ પૂજા-અર્ચના અને મંત્રજાપથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
Advertisement
- નિર્જળા એકાદશી Lord Vishnu નો પ્રિય પર્વ છે
- દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને Nirjala Ekadashi તરીકે ઉજવવામાં આવે છે
- આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના ખાદ્યપદાર્થનો પ્રસાદ ચડાવો
- નિર્જળા એકાદશીએ તુલસીપૂજન (Tulsi Poojan) નું પણ વિશેષ મહત્વ છે
Nirjala Ekadashi : દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને પ્રિય એવા આ પર્વે જો જળનું સેવન ન કરવામાં આવે અને લક્ષ્મીનારાયણની ચોક્કસ પૂજા-અર્ચના અને મંત્ર જાપ કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આવતીકાલે નિર્જળા એકાદશી ઉપરાંત ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. તેથી નિર્જળા એકાદશીનું માહાત્મ્ય વધી જાય છે.

