Shikshapatri :‘શિક્ષાપત્રી’માં છે આજના તમામ પ્રશ્નોના ઉકેલ!
Shikshapatri : નોબલ પ્રાઇઝ વિજેતા ડૉ. કોનાર્ક લેરીન્સે એકવાર બહુ માર્મિક વાત કરી હતી: "મને પશુ અને સુસંસ્કૃત માણસ વચ્ચેની ખૂટતી કડી (Missing Link) મળી ગઈ છે અને એ કડી આપણે પોતે છીએ." આ વિધાન આજના સમાજની વરવી વાસ્તવિકતા પર પ્રહાર કરે છે. આપણે ન તો પૂરેપૂરા પશુ રહ્યા છીએ, ન તો સાચા અર્થમાં માણસ બની શક્યા છીએ. આપણી સ્થિતિ 'ત્રિશંકુ' જેવી છે.
Shikshapatri : પશુવૃત્તિ અને માણસની મનોવૃત્તિ: એક બોધકથા
માણસની હીન વૃત્તિ સમજવા માટે જંગલની એક વાર્તા સમજવા જેવી છે. એક ઝાડ પર સિંહથી બચવા માટે એક માણસ અને એક વાંદરો આશરો લે છે. બંને નક્કી કરે છે કે વારાફરતી જાગવું જેથી સિંહ હુમલો ન કરે.
જ્યારે વાંદરો જાગતો હતો, ત્યારે તેણે વિશ્વાસ નિભાવ્યો.
Advertisementપણ જ્યારે વાંદરો સૂતો, ત્યારે સિંહે માણસને લાલચ આપી કે જો તું વાંદરાને નીચે ફેંકી દે તો હું તને જીવતદાન આપીશ.
માણસે ક્ષણિક સ્વાર્થમાં આવીને વાંદરાને ધક્કો મારી દીધો!
નસીબજોગે વાંદરો બચી ગયો, પણ તેણે માણસને જે કહ્યું તે યાદ રાખવા જેવું છે: "મિત્ર, હવે ક્યારેય એવું ન કહેતો કે વાંદરામાંથી માણસ થયો છે, કારણ કે તારી વૃત્તિ મારા કરતાં પણ હીન છે!"
Shikshapatri : જીવનનો કાણો કોસ: જ્યાં પુરુષાર્થ એળે જાય છે
ઘણીવાર આપણને લાગે છે કે આપણે બહુ મહેનત કરીએ છીએ છતાં સુખ કેમ નથી મળતું? એક સંતે ખેતરમાં જોયું કે ખેડૂત સવારથી સાંજ સુધી કુવામાંથી પાણી ખેંચતો હતો, પણ નીક (નાળા) માં પાણી આવતું જ નહીં. તપાસ કરી તો ખબર પડી કે 'કોસ' (પાણી ખેંચવાનું પાત્ર) માં અનેક કાણાં હતાં.
આપણી જિંદગીનું પણ આવું જ છે. વ્યસન, જુગાર, વ્યભિચાર અને જૂઠ - આ એવા કાણાં છે જે આપણા ગમે તેટલા મોટા પુરુષાર્થને વહાવી દે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી દ્વારા આ છિદ્રો પૂરવાનું કામ કર્યું છે.
આર્થિક અને સામાજિક ઉકેલો: માર્ક્સથી મહારાજ સુધી
ગરીબી નિવારવા માટે કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ 'ઝુંટવી લેવાની' વાત કરી, પણ સાધનની શુદ્ધિ નહોતી. અમેરિકન ચિંતક જ્યોર્જ ગિલ્ડરે કહ્યું કે માત્ર સુવિધાઓ આપવાથી અપેક્ષાઓ વધે છે, સંતોષ નહીં.
શ્રી સ્વામિનારાયણ ભગવાન (Lord Swaminarayan) -શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બહુ વ્યવહારુ ઉકેલો આપ્યા:
આવક-જાવકનો મેળ: "જેટલી પછેડી હોય તેટલી સોડ તાણવી." પોતાની ઉપજ કરતાં વધારે ખર્ચ કરનાર હંમેશા દુઃખી થાય છે.
નામું લખવું: દરેક વહેવાર સ્પષ્ટ અને લેખિત હોવો જોઈએ. ક્રેડિટ કાર્ડના આજના યુગમાં પણ 'નામું લખવાની' આ આજ્ઞા પાયમાલીથી બચાવે છે.
સાક્ષી અને લખાણ: ભાઈ, પિતા કે મિત્ર સાથે પણ જમીન કે ધનનો વહેવાર સાક્ષી વગર ન કરવો. આ નિયમ પારિવારિક ઝઘડાઓનું મૂળ જ કાપી નાખે છે.
ચારિત્ર્ય: સમાજનું સુરક્ષા કવચ
આજે સમાજમાં એઈડ્સ જેવા રોગો અને માનસિક વિકૃતિઓ વધતી જાય છે, જેનું મૂળ 'વ્યભિચાર' છે. શિક્ષાપત્રી સ્ત્રી-પુરુષની મર્યાદા અને બ્રહ્મચર્યના પાલન પર ભાર મૂકે છે.
વસ્ત્ર પરિધાન: એવાં વસ્ત્રો ન પહેરવાં જેનાથી અંગ પ્રદર્શન થાય કે જોનારના મનમાં વિકાર જન્મે.
વ્યસન મુક્તિ: તાડી, દારૂ, ગાંજો, તમાકુ - આ બધાં કેફી દ્રવ્યો ગરીબી અને કૌટુંબિક ક્લેશના જનક છે. આદિવાસી વિસ્તારોમાં સંતોના વિચરણથી લાખો લોકો વ્યસનમુક્ત થઈને આજે પાકાં મકાનોમાં સુખી જીવન જીવી રહ્યા છે.
અહિંસા અને પશુદયા
મહારાજે માત્ર મનુષ્યો જ નહીં, પશુઓ માટે પણ સંવેદના દાખવી છે. તેમણે આજ્ઞા કરી કે જો તમારી સામર્થ્ય હોય તો જ પશુ પાળવાં અને તેમને અન્ન-પાણીની પૂરી સુવિધા આપવી. માંસાહારનો સંપૂર્ણ નિષેધ કરીને તેમણે હિંસક વૃત્તિને નાબૂદ કરી છે.
શિક્ષાપત્રીનું જીવંત સ્વરૂપ: પ્રમુખસ્વામી મહારાજ
બાબુભાઈ જશભાઈ પટેલે બહુ સુંદર કહ્યું હતું કે, "સદાચારનો સંદેશ વાણીથી નહીં, જીવનથી અપાય છે." વિદેશના લોકો માટે પ્રમુખસ્વામી મહારાજ-Pramukh Swami Maharaj 'જીવંત શિક્ષાપત્રી' સમાન હતા. તેમના નિર્મળ ચારિત્ર્યને જોઈને દુનિયાને સમજાયું કે ધર્મ શું છે.
આર્કિમીડીઝે દુનિયા બદલવા માટે 'ઊભા રહેવાની જગ્યા' માગી હતી, ત્યારે ગોથેએ કહ્યું હતું કે તારા જીવનનો પાયો મજબૂત કર, દુનિયા આપોઆપ બદલાશે. શિક્ષાપત્રી એ જ મજબૂત પાયો છે.
કવિ ન્હાનાલાલના શબ્દોમાં: શિક્ષાપત્રી એટલે વ્યવહાર અને સંસારને પરિશુદ્ધ કરતી નિત્ય નિયમાવલિ.
લોખંડી પુરુષ સરદાર પટેલના શબ્દોમાં: "જો દેશના લોકો શિક્ષાપત્રી પાળે, તો કોર્ટ, પોલીસ અને જેલની જરૂર જ ન પડે."
શિક્ષાપત્રી Shikshapatri વિષેનોબલ પ્રાઇઝ વિજેતા ડૉ. કોનાર્ક લેરીન્સે એકવાર બહુ માર્મિક વાત કરી હતી: "મને પશુ અને સુસંસ્કૃત માણસ વચ્ચેની ખૂટતી કડી (Missing Link) મળી ગઈ છે અને એ કડી આપણે પોતે છીએ." એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ નથી, પણ માનવમાત્રના કલ્યાણની સીડી છે. તેનો અમલ કરવાથી જીવનમાં સદૈવ 'વસંત' ખીલેલી રહે છે.


