ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આવતીકાલે Margashirsha Purnima, જાણો તેનું મહત્ત્વ, આ ત્રણ રાશિનાં જાતકોનું ચમકશે ભાગ્ય!

જ્યોતિષની દૃષ્ટિએ તમામ 12 રાશિઓ માટે ડિસેમ્બરનો મહિનો લાભદાયી માનવામાં આવે છે
08:05 AM Dec 14, 2024 IST | Vipul Sen
જ્યોતિષની દૃષ્ટિએ તમામ 12 રાશિઓ માટે ડિસેમ્બરનો મહિનો લાભદાયી માનવામાં આવે છે
સૌજન્ય : Google
  1. આવતીકાલે Margashirsha Purnima 2024 ની ઉજવણી કરાશે
  2. 14 ડિસેમ્બરે સાંજે 4:58 વાગ્યે શરૂ, 15 ડિસેમ્બરે બપોરે 2:31 વાગ્યે સમાપ્ત
  3. સિંહ, કર્ક અને તુલા રાશિ માટે પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ

Margashirsha Purnima 2024 : હાલ વર્ષ 2024 નો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલુ છે. જ્યોતિષની દૃષ્ટિએ તમામ 12 રાશિઓ માટે આ મહિનો લાભદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ડિસેમ્બર મહિનામાં આવતા વ્રત, તહેવાર અને ગ્રહો ગોચરનાં પ્રભાવને લીધે લોકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે અને તેમના ભાગ્યમાં વૃદ્ધિ થવાની પણ સંભાવના હોય છે.

પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા (Margashirsha Purnima 2024) 15 ડિસેમ્બર 2024 ના રોજ એટલે કે આવતીકાલે ઊજવવામાં આવશે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોને ઇચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ, પૂર્ણિમા તિથિ પર ચંદ્રની પૂજા કરવી વધુ ફાયદાકારક હોય છે, આ સાધકની કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત બનાવે છે. પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિ 14 ડિસેમ્બરે સાંજે 4:58 વાગ્યે શરૂ થશે અને 15 ડિસેમ્બરે બપોરે 2:31 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષીય અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 ની આ છેલ્લી પૂર્ણિમા હશે, જેના કારણે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.

સિંહ રાશિ

જ્યોતિષીય ગણતરી મુજબ, સિંહ રાશિનાં (Leo) જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માતા-પિતા તરફથી પૂરતો સહયોગ મળશે. આત્મવિશ્વાસ વધશે. વૈવાહિક જીવનમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા બની શકે છે. નવા વર્ષ માટે થોડું પ્લાનિંગ કરવું જરૂરી છે.

કર્ક રાશિ

આ રાશિનાં (Cancer) જાતકો માટે માર્ગશીર્ષ પૂર્ણિમા (Margashirsha Purnima 2024) ખૂબ જ શુભ રહેવાની છે. આ રાશિનાં લોકોનાં ભાગ્યમાં વધારો થવાની સંભાવના છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, કર્ક રાશિવાળા લોકોને તેમની કારકિર્દીમાં સારા સમાચાર મળી શકે છે. આર્થિક તંગીથી રાહત મળવાની પણ સંભાવના છે.

તુલા રાશિ

માર્ગશીર્ષ પૂર્ણિમા આ રાશિનાં (Libra) જાતકો માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. રોકાણમાં ઈચ્છિત નફો મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવી શકે છે. વેપારમાં પણ ઈચ્છા મુજબ નફો મળવાની પ્રબળ શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ શુભ બની શકે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) જવાબદાર નથી.

Tags :
AstroAstrologyBhakti NewsDecember 2024DharamaGujarat FirstMargashirsha Purnima 2024
Next Article