Somvati Amavasya: હરિદ્વારમાં પ્રવાસીઓનો ભારે અતિરેક, ટ્રાફિક જામ અને ગરમીથી ભક્તો બેહાલ
હરિદ્વારમાં ચારધામ યાત્રા, સ્કૂલની રજાઓ અને સોમવતી અમાવસ્યાના સ્નાન પર્વને કારણે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. દિલ્હી અને બિજનૌર હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગરમી અને ભીડ વચ્ચે તંત્ર દ્વારા ડાયવર્ઝન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. યાત્રિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અને પૂરતું પાણી સાથે રાખવા અપીલ કરવામાં આવી છે.
Advertisement
Haridwar Traffic Jam Somvati Amavasya: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની પરાકાષ્ઠા, સ્કૂલોની વેકેશનની રજાઓ અને સોમવતી અમાવસ્યાના પવિત્ર સ્નાન પર્વને કારણે હરિદ્વારમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટી પડ્યો છે. 'ચારધામના પ્રવેશદ્વાર' ગણાતા હરિદ્વારમાં હાલ ટ્રાફિકનું અસહ્ય દબાણ અને કાળઝાળ ગરમીની બેવડી માર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

