ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખાસ રંગના રક્ષાસૂત્ર(દોરા) પહેરવાથી શાંત થાય છે વિવિધ ગ્રહોની અવદશા

હિન્દુ ધર્મમાં રક્ષાસૂત્રને પવિત્ર દોરા ઉપરાંત ગ્રહોને શાંત કરતા મહત્વના સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે વિવિધ ગ્રહોને શાંત કરવા માટે વિવિધ રંગના રક્ષાસૂત્ર(દોરા) ધારણ કરવા યોગ્ય માનવામાં આવે છે. જાણો ક્યા ગ્રહ માટે કયા રંગના દોરા કે રક્ષાસૂત્ર રહેશે શુભ.
04:03 PM Mar 21, 2025 IST | Hardik Prajapati
હિન્દુ ધર્મમાં રક્ષાસૂત્રને પવિત્ર દોરા ઉપરાંત ગ્રહોને શાંત કરતા મહત્વના સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે વિવિધ ગ્રહોને શાંત કરવા માટે વિવિધ રંગના રક્ષાસૂત્ર(દોરા) ધારણ કરવા યોગ્ય માનવામાં આવે છે. જાણો ક્યા ગ્રહ માટે કયા રંગના દોરા કે રક્ષાસૂત્ર રહેશે શુભ.

અમદાવાદઃ જો આપ ગ્રહો અને રાશિ અનુસાર રક્ષાસૂત્ર બાંધશો, તો તમારી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ આપની સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. અહીં અમે આપને વિવિધ ગ્રહો માટે કયા રંગના સૂત્ર કે દોરા યોગ્ય રહેશે તે જણાવીએ છે.

ગુરુ, શનિ અને બુધ ગ્રહ માટેઃ

જો તમારો શનિ નબળો છે, તો શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમારે તમારા હાથમાં વાદળી રંગનો સુતરાઉ દોરો બાંધવો જોઈએ.
જો તમે બુધને પ્રસન્ન કરવા માંગતા હો, તો તમારે તમારા હાથ પર આછા લીલો દોરો બાંધવો જોઈએ. ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે, તમારે તમારા હાથ પર પીળા રંગનો રેશમી દોરો બાંધવો જોઈએ.

આ પણ વાંચોઃ  Rashifal 21 March 2025 : ચંદ્ર અને ગુરુના સંસપ્તક યોગની રચનાને કારણે આ રાશિઓને થશે ફાયદો

શુક્ર, મંગળ અને ચંદ્ર માટેઃ

જો તમે ઈચ્છો છો કે શુક્ર અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે, તો તમારે તમારા હાથ પર સફેદ રેશમી દોરો બાંધવો જોઈએ. આ ઉપરાંત તમે ભગવાન શિવ અને ચંદ્રને પ્રસન્ન કરવા માંગો છો, તો તમારે તમારા હાથ પર સફેદ દોરો બાંધવો જોઈએ. મંગળ ગ્રહને મજબૂત કરવા અને સંકટ મોચન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે, તમારે તમારા હાથ પર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ.

રાહુ અને કેતુ માટેઃ

રાહુ, કેતુ અને ભૈરવને પ્રસન્ન કરવા માટે, તમારે તમારા હાથ પર કાળો દોરો બાંધવો જોઈએ. ખાસ કરીને ભૈરવને શાંત કરવા માટે તજજ્ઞો અને જાણકારો કાળા રંગના દોરા અથવા રક્ષાસૂત્ર પહેરવાની સલાહ આપે છે. તેથી જ મોટા ભાગે નજર લાગવા કે પરચોઘડીયું થયા જેવી ઘટનામાં કાળા દોરાને જાતક પર બાંધવામાં આવે છે.

આ પણ વાંચોઃ  Energy of the earth: ભૂમિની ઊર્જાની સીધી અસર થાય છે આપની આર્થિક વૃદ્ધિ પર, કેવી રીતે ઓળખશો ભૂમિની ઊર્જા ???

Tags :
BluegreenJupiterMercuryPlanetary InfluenceRakshasutraSacred ThreadSaturnYellow
Next Article