આ વર્ષનું છેલ્લું Surya Grahan 21 સપ્ટેમ્બરે , ભારતમાં દેખાશે કે નહીં? જાણો
- આ વર્ષનું છેલ્લું Surya Grahan 21 સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે
- ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે
- ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી તેની કોઈ અસર થશે નહીં
આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે, જે ખગોળશાસ્ત્રીઓ માટે એક રસપ્રદ ઘટના છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે, જેમાં ચંદ્ર સૂર્યની કિરણોને અવરોધે છે અને પૃથ્વી પર અંધારૂ જોવા મળે છે . પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, અને તેથી તેની કોઈ ધાર્મિક કે વૈજ્ઞાનિક અસર ભારત પર થશે નહીં. ખગોળ વિભાગ અને NASAના મુજબ, આ આંશિક સૂર્યગ્રહણ મુખ્યત્વે ન્યુઝીલેન્ડ, પૂર્વીય ઓસ્ટ્રેલિયા, પેસિફિક ટાપુઓ અને એન્ટાર્કટિકામાં દેખાશે. ભારતીય સમય મુજબ, ગ્રહણ રાત્રે 11:29 વાગ્યાથી શરૂ થઈને 22 સપ્ટેમ્બરના સવારે 3:24 વાગ્યા સુધી ચાલશે.
Surya Grahan 21 સપ્ટેમ્બર
ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી તેની કોઈ અસર થશે નહીં. હિંદુ શાસ્ત્રોમાં સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે. અને તેના સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. પરંતુ જ્યારે ગ્રહણ દેશમાં દેખાતું નથી, ત્યારે સૂતક લાગતું નથી. આ કારણે 21 સપ્ટેમ્બરે દેશભરમાં મંદિરોના દરવાજા ખુલ્લા રહેશે, અને ધાર્મિક વિધિઓ, કાર્યક્રમો તથા રોજિંદા કાર્યો સામાન્ય રીતે ચાલશે. જ્યોતિષીઓ અને ખગોળશાસ્ત્રીઓના મતે, આ ગ્રહણની અસર માત્ર તે વિસ્તારો પર જ પડે છે જ્યાં તે દેખાય છે, અને ભારત પર તેની કોઈ અસર નહીં થાય. આ ગ્રહણ દરમિયાન ભારતમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો નહીં હોય, અને લોકો તેમના નિયમિત જીવનમાં કોઈ વિક્ષેપ અનુભવશે નહીં.
Surya Grahan શું છે?
સૂર્યગ્રહણ એ ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવે છે અને સૂર્યની કિરણોને અવરોધે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ, આ ઘટના ત્રણ મુખ્ય પ્રકારની હોય છે, જે ચંદ્રના કદ અને સ્થાન પર આધારિત છે:
કુલ Surya Grahan
આ સૌથી દુર્લભ પ્રકાર છે, જે લગભગ 100 વર્ષમાં એકવાર થાય છે. આમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, અને પૃથ્વી પર સંપૂર્ણ અંધારો થઈ જાય છે. આ ગ્રહણ માત્ર ચોક્કસ નાના વિસ્તારોમાં દેખાય છે.
આંશિક Surya Grahan
આમાં ચંદ્ર સૂર્યને આંશિક રીતે જ ઢાંકે છે. સૂર્યનો ફક્ત એક ભાગ જ છુપાય છે, અને તે પૃથ્વીના વિશાળ વિસ્તારોમાં દેખાય છે. આ વર્ષનું 21 સપ્ટેમ્બરનું ગ્રહણ આ જ પ્રકારનું છે, જેમાં સૂર્યનો 85% ભાગ જ છુપાશે.
વલયાકાર Surya Grahan
આમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, કારણ કે તે સમયે સૂર્ય ચંદ્ર કરતા મોટો દેખાય છે. તેથી સૂર્યની આસપાસ રિંગ જેવો આકાર બને છે, જેને 'રિંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે. આ પણ દુર્લભ છે અને વિશિષ્ટ વિસ્તારોમાં જ દેખાય છે.
આ પણ વાંચો: Vadodara : શ્રાદ્ધ પર્વ નિમિત્તે સેંકડો ગૌ માતા-નંદીજી મહારાજને ડાઇનીંગ ટેબલ પર તૈયાર ભાણું પીરસાયું