બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક આદિત્ય ધર(Aditya Dhar)નું જીવન આ વાતનું જીવંત ઉદાહરણ છે. બાળપણથી જ 'સીવિયર ડિસ્લેક્સિયા' (વાંચવા-લખવામાં પડતી ભારે તકલીફ) જેવી ગંભીર મર્યાદાનો સામનો કરવા છતાં, તેમણે હાર ન માની. જે વ્યક્તિને બે પાના વાંચવામાં આખો દિવસ જતો હતો, તે જ વ્યક્તિએ આજે પોતાની કલ્પનાશક્તિ અને દ્રશ્ય-અનુભૂતિના જોરે ભારતીય સિનેમાને 'ઉરી'' Uri' અને 'ધુરંધર' જેવી માસ્ટરપીસ ફિલ્મો આપી છે. આદિત્યની આ સફર આપણને શીખવે છે કે જો 'Dhurandhar' તમે તમારી ખામીને સ્વીકારીને તમારી અંદર રહેલી 'ગૉડ ગિફ્ટ' (વાર્તા કહેવાની કળા) પર ધ્યાન કેન્દ્રિત કરો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને 'ધુરંધર' બનતા રોકી શકતી નથી.
ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' Uri: The Surgical Strike થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર આદિત્ય ધરના નામની ચર્ચા આજે સરહદ પાર પણ થઈ રહી છે. તાજેતરમાં તેમની ફિલ્મ 'ધુરંધર' અને 'ધુરંધર: ધ રિવન્જ'ને પ્રેક્ષકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. પરંતુ, આ સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ, માનસિક બીમારી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મળેલા ધોખાની એક લાંબી કહાની છે.
Aditya Dhar Struggle Story : બાળપણમાં ડિસ્લેક્સિયાની પીડા
12 માર્ચ 1983 ના રોજ એક કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા આદિત્યના ઘરમાં ભણતરનું ખૂબ મહત્વ હતું. તેમની માતા દિલ્હી યુનિવર્સિટીના ડીન હતા. પરંતુ આદિત્ય માટે ભણવું એ એક સજા સમાન હતું, કારણ કે તેઓ 'સીવિયર ડિસ્લેક્સિયા' Severe dyslexia થી પીડાતા હતા. તેમને વાંચવા-લખવામાં એટલી તકલીફ પડતી કે બે-ત્રણ પેજ વાંચવામાં આખો દિવસ નીકળી જતો. જોકે, કુદરતે તેમને વાર્તા કહેવાની અને અનુભવવાની અદભૂત શક્તિ આપી હતી.
Aditya Dhar Struggle Story: સપનાની નગરી મુંબઈ અને શરૂઆતનો સંઘર્ષ
પોતાની કલ્પનાશક્તિને પાંખો આપવા આદિત્ય ૨૦૦૬માં મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમણે જ્હોન અબ્રાહમની ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ' માટે ગીતો લખ્યા. ત્યારબાદ સહ-દિગ્દર્શક અને લેખક તરીકે કામ શરૂ કર્યું. પણ મુંબઈમાં સફળતા જેટલી દેખાય છે એટલી સરળ નહોતી.
જ્યારે ઈન્ડસ્ટ્રીએ આપ્યો દગો
આદિત્યએ પોતાની મહેનતથી અનેક શાનદાર સ્ક્રિપ્ટો લખી, જેના પર મોટી ફિલ્મો બની અને ૧૦૦ કરોડની કમાણી પણ કરી, પરંતુ અફસોસ કે આદિત્યને ક્યાંય ક્રેડિટ (નામ) આપવામાં આવ્યું નહીં. અનેકવાર તેમની ફિલ્મો બનતા-બનતા રહી ગઈ. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'રાત અકેલી હૈ'માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને કારણે વિવાદ થયો અને ફિલ્મ બંધ પડી ગઈ. ૨૦૧૩ અને ૨૦૧૬માં પણ તેમના પ્રોજેક્ટ્સ નિષ્ફળ રહ્યા.
'ઉરી' અને સફળતાનો સૂર્યોદય
જ્યારે બધી બાજુથી રસ્તા બંધ લાગતા હતા, ત્યારે ભારતના ઉરીમાં આતંકવાદી હુમલો થયો અને ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી. આદિત્યએ નક્કી કર્યું કે તેઓ આ વિષય પર ફિલ્મ બનાવશે. સતત છ મહિના રિસર્ચ કર્યું અને ૧૨ દિવસ સુધી એક રૂમમાં પુરાઈને સ્ક્રિપ્ટ લખી. રોની સ્ક્રુવાલાએ સ્ક્રિપ્ટ સાંભળતા જ હા પાડી અને 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' સર્જાઈ. આ ફિલ્મે આદિત્યને રાતોરાત સ્ટાર ડાયરેક્ટર બનાવી દીધા.
યામી ગૌતમ સાથે પ્રેમ અને નવો અધ્યાય
'ઉરી' ફિલ્મે આદિત્યને માત્ર વ્યાવસાયિક સફળતા જ નહીં, પણ જીવનસાથી પણ આપ્યા. શૂટિંગ દરમિયાન તેમની મુલાકાત અભિનેત્રી યામી ગૌતમ-Yami Gautam સાથે થઈ અને જૂન ૨૦૨૧માં બંનેએ અત્યંત સાદાઈથી લગ્ન કર્યા. યામીના સાથ અને ભાઈ લોકેશ ધરના સહયોગથી તેમણે 'B62 સ્ટુડિયો'ની સ્થાપના કરી, જ્યાંથી 'આર્ટિકલ ૩૭૦' અને 'ધુરંધર' જેવા મોટા પ્રોજેક્ટ્સ બહાર આવ્યા.
આદિત્ય ધર કહે છે કે, 'ધુરંધર' મારા માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ મારા જીવનના તમામ અનુભવોનો નીચોડ છે. આજે તેમની પાસે અનુભવ, ટેલેન્ટ, માતાના આશીર્વાદ અને પત્નીનો પ્રેમ છે. આ જ કારણ છે કે તેમની ફિલ્મોમાં નાની-નાની ડિટેલ્સ પર આટલું સચોટ કામ જોવા મળે છે.
આ પણ વાંચો :Dhurandhar 2 Movie Review : રાકેશ રોશને કર્યા વખાણ, હૃતિક રોશન કેમ થયો ટ્રોલ?