Anupam Kher: અનુપમ ખેરનું 'શ્રી રામભૂમિ' ફિલ્મમાં લુક સામે આવ્યું, અશોક સિંઘલની ભૂમિકા માટે કહી મોટી વાત
રામ મંદિર આંદોલનના ઈતિહાસને પડદા પર જીવંત કરવા માટે તૈયારીઓ તેજ થઈ છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાની આગામી ફિલ્મ 'શ્રી રામભૂમિ'માંથી પોતાનો ફર્સ્ટ લુક જાહેર કરી ચર્ચા જગાવી છે. આ ફિલ્મમાં તેઓ અશોક સિંઘલની ભૂમિકામાં જોવા મળશે. એક એવું વ્યક્તિત્વ જેમણે પોતાનું જીવન આંદોલન માટે સમર્પિત કર્યું હતું, તે પાત્રને ભજવવું એ મારા માટે ગર્વ અને મોટી જવાબદારી હોવાનું અભિનેતાએ જણાવ્યું છે.
Advertisement
Anupam Kher: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાની આગામી ફિલ્મ 'શ્રી રામભૂમિ' માટેના લુકનો ખુલાસો કર્યો છે. આ ફિલ્મમાં તેઓ અશોક સિંઘલની ઐતિહાસિક ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપતા અભિનેતાએ આ પાત્રને પોતાના માટે એક મોટી જવાબદારી ગણાવી છે. ચાહકોમાં આ ફિલ્મ અને તેમના પાત્રને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

