Rajpal Yadav Surrenders : બોલિવૂડના અભિનેતાનું Tihar Jail માં સમર્પણ
- Rajpal Yadav Surrenders, તિહાર જેલમાં એક્ટરનું સમર્પણ
- કરોડો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કોર્ટમાંથી રાહત નહીં
- રાજપાલ યાદવના વકીલની દલીલ કોર્ટે ફગાવી દીધી
Rajpal Yadav Surrenders : બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં તેમની શરણાગતિ તારીખ લંબાવવાની માંગ કરતી તેમની અરજી દિલ્હી હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. તેમને જેલ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ પણ શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી, રાજપાલ યાદવ પાસે આદેશને પડકારવા અથવા આદેશનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમની પાસે કોઈપણ રીતે આદેશને પડકારવાનો સમય નહોતો. હવે, અભિનેતાએ શરણાગતિ સ્વીકારી લીધી છે, એટલે કે તેમને આજની રાત જેલમાં વિતાવવી પડશે.
દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી (Rajpal Yadav Surrenders)
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રાજપાલ યાદવે તેમની શરણાગતિ તારીખ લંબાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી, એમ કહીને કે, તેમને રાહત આપવા માટે કોઈ કારણ નથી.
આ પણ વાંચો ------ મોતને હરાવીને કેવી રીતે પાછી ફરી પ્રિયંકાની લાડલી? પિતા નીક જોન્સે જણાવી હકિક્ત
ચુકવણીનો મુદ્દો ઉભો થયો (Rajpal Yadav Surrenders)
ન્યાયાધીશ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટમાં સુનાવણી પછી, રાજપાલ યાદવના વકીલોએ દલીલ કરી હતી કે, તેઓ પૈસાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે, અને તેમને વધુ સમયની જરૂર છે. જો કે, કોર્ટે જણાવ્યું હતું કે, પૂરતો સમય પહેલાથી જ આપવામાં આવ્યો છે. બેન્ચે કહ્યું કે, "અમે તે જ દિવસે આ દલીલોને ફગાવી દીધી હતી, અને તમને શરણાગતિ માટે 48 કલાકનો સમય આપ્યો હતો.
ચૂકવણી કરો અથવા શરણાગતિ સ્વીકારો
બેન્ચે વધુમાં કહ્યું કે, હવે, વધારાનો સમય આપવાનો કોઈ આધાર નથી. તમારે સંમત સમય સુધીમાં શરણાગતિ સ્વીકારવાની હતી, પરંતુ તમારા વકીલોએ કહ્યું કે, તમે મુંબઈમાં છો. હવે કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં. તમે કાં તો ચૂકવણી કરો અથવા શરણાગતિ સ્વીકારો. તે પછી, નક્કી કરવામાં આવશે કે તમને ચૂકવણી કરવા માટે કેટલો વધુ સમય આપી શકાય."
આ પણ વાંચો ------ Govinda Attack : 'વહેલી સવારે અભિનેતા પર હુમલો.!', મેનેજરે વટાણા વેર્યા


