ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ એક અભિનેત્રી કેન્સરમાં સપડાઇ, સારવારમાં બે લોકોની સતત ચિંતા રહેતી

Tannishtha Chatterjee Cancer : અભિનેત્રીએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે સોફા પર મુંડાવેલા માથા સાથે બેઠી અને હસતી જોવા મળે છે
08:46 PM Aug 24, 2025 IST | PARTH PANDYA
Tannishtha Chatterjee Cancer : અભિનેત્રીએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે સોફા પર મુંડાવેલા માથા સાથે બેઠી અને હસતી જોવા મળે છે

Tannishtha Chatterjee Cancer : 'ગુલાબ ગેંગ', 'પાર્ચ્ડ' અને 'જોરમ' જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર તનિષ્ઠા ચેટર્જી (Tannishtha Chatterjee Cancer) એ ખુલાસો કર્યો છે કે, તેમને આઠ મહિના પહેલા સ્ટેજ 4 ઓલિગોમેટાસ્ટેટિક કેન્સર (Stage 4 Oligometastatic Cancer) હોવાનું નિદાન થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખાસ કરીને તેમના પિતાને કેન્સર થયું હતું, જેમને ગુમાવ્યા પછી તકલીફમાં હતા. અભિનેત્રીએ દિયા મિર્ઝા, કોંકણા સેન શર્મા, શબાના આઝમી, દિવ્યા દત્તા, રિચા ચઢ્ઢા અને વિદ્યા બાલન જેવી પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે બહેનપણીની તસવીર શેર કરી, અને એક લાંબી ભાવનાત્મક નોંધ પણ લખી, જેમાં તેમણે તેમની પુત્રીનો પણ ઉલ્લેખ કર્યો છે.

તનિષ્ઠા ચેટર્જી આ અંગે ચિંતિત છે

રવિવારે 44 વર્ષીય બોલિવૂડ અભિનેત્રી (Tannishtha Chatterjee Cancer) એ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં તે સોફા પર મુંડાવેલા માથા સાથે બેઠી અને હસતી જોવા મળે છે. તેમણે લખ્યું કે, તેમની પોસ્ટ પીડા વિશે નથી, પરંતુ પ્રેમ, શક્તિ અને સાચી ચિંતા વિશે છે. તનિષ્ઠાએ કહ્યું, 'આનાથી ખરાબ કંઈ હોઈ શકે નહીં. 70 વર્ષની માતા અને 9 વર્ષની પુત્રી... બંને મારા પર સંપૂર્ણપણે નિર્ભર છે.'

તનિષ્ઠા ચેટર્જી હાલત કેવી છે ?

તેણીએ (Tannishtha Chatterjee Cancer) આગળ કહ્યું કે, 'પરંતુ સૌથી મુશ્કેલ દિવસોમાં મને એક અસાધારણ પ્રેમનો અહેસાસ થયો, જે હવે મને મળે છે, તે મારા હૃદયમાં સ્થાન બનાવે છે, અને તમને ક્યારેય એકલા અનુભવવા દેતો નથી. મને આ ખુશી મારા પ્રિય મિત્રો અને પરિવાર તરફથી મળી, જેમના અવિરત સમર્થનથી સૌથી મુશ્કેલ દિવસોમાં પણ મારા ચહેરા પર સાચું સ્મિત આવ્યું છે.'

તનિષ્ઠા ચેટર્જીના પરિવારને કેન્સરના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો

અભિનેત્રીએ (Tannishtha Chatterjee Cancer) મીડિયાને જણાવ્યું કે, તેણીને લાગે છે કે, કેન્સર જેવા રોગોનું કોઈ સ્પષ્ટ કારણ નથી, કારણ કે, તે હંમેશા સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરે છે, અને તેની ફિટનેસનું ધ્યાન રાખે છે. કોઈ પણ આવા પડકારોની યોગ્ય આગાહી કરી શકતું નથી, અથવા તેના માટે તૈયારી કરી શકતું નથી, તનિષ્ઠાએ કહ્યું કે, આ સમાચારે તેના પરિવાર અને મિત્રોને આશ્ચર્યચકિત કર્યા જે તેના માટે આઘાતજનક હતું. તેણીએ કહ્યું કે, ત્યારથી તેની સફર ઘણા પ્રશ્નો અને ચિંતાઓથી ભરેલી છે. છેલ્લા આઠ મહિના મુશ્કેલ રહ્યા છે, માત્ર સારવાર જ નહીં પરંતુ વીમા જેવા મુદ્દાઓનો પણ સામનો કરવો પડ્યો છે, જેનો સામનો કરવો સરળ નથી.

આ પણ વાંચો ---- Bigg Boss 19 contestants : જાણો કોણ છે Natalia Janoszek? જેની બિગબોસમાં થઈ છે એન્ટ્રી

Tags :
BollywoodActresscancerGujaratFirstgujaratfirstnewssocialmediapostTannishthaChatterjee
Next Article