કોણ હતા કુમુદ રાણે?
મળતી માહિતી અનુસાર, 9 જૂન 2026ના રોજ કુમુદ રાણેનું અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. કુમુદ દુબઈ (Dubai) સ્થિત જાણીતા બ્યુટી અને વેલનેસ બ્રાન્ડ ‘રેઇન બ્યુટી બાર’ (Reign Beauty Bar) ના સ્થાપક (Founder) હતા. બ્યુટી (Beauty) અને વેલનેસ (Wellness) ઉદ્યોગમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.
ખાન પરિવાર સાથે હતો વર્ષો જૂનો સંબંધ
કુમુદ રાણે માત્ર પરિવારના મિત્ર જ નહોતા, પરંતુ ખાન પરિવાર માટે પરિવારના સભ્ય સમાન હતા. સલમાન ખાનના લાંબા સમયના મિત્ર જગ્ગી રાણે (Jaggi Rane) સાથે તેમના લગ્ન થયા હતા. ખાન પરિવારના લગભગ દરેક ખાસ પ્રસંગ અને પાર્ટીઓમાં કુમુદની હાજરી જોવા મળતી હતી. તેમને અંતિમ વિદાય (Last Rites) આપવા માટે સલમાન ખાન ઉપરાંત તેમની માતા સલમા ખાન (Salma Khan), હેલન (Helen), અરબાઝ ખાન (Arbaaz Khan), સોહેલ ખાન (Sohail Khan), અર્પિતા ખાન (Arpita Khan), અરહાન અને નિર્વાણ સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી લોકપ્રિયતા
કુમુદના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ સાથેની તસવીરો જોવા મળે છે. બોબી દેઓલ (Bobby Deol), મલાઇકા અરોરા (Malaika Arora) અને બીના કાક (Bina Kak) જેવા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા. તેમના નિધન બાદ ફિલ્મ જગતના અનેક લોકોએ પણ શોક વ્યક્ત કર્યો છે.
સોહેલ ખાન અને અર્પિતાની ભાવુક પોસ્ટ
સોહેલ ખાને સોશિયલ મીડિયા પર કુમુદ સાથેની તસવીર શેર કરીને લખ્યું કે તેમણે પોતાની એક પ્રિય બહેન ગુમાવી છે, જેને કોઈ ક્યારેય બદલી શકશે નહીં. તેમણે જગ્ગી રાણે અને તેમના પુત્ર કબીર માટે પણ સંવેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ, અર્પિતા ખાને પણ ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી દ્વારા કુમુદને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે કુમુદનો પ્રેમ, ઉષ્મા અને હાસ્ય હંમેશા યાદ રહેશે.
યુલિયા વંતૂરે પણ વ્યક્ત કર્યું દુઃખ
સલમાન ખાનની નજીકની મિત્ર તરીકે ઓળખાતી યુલિયા વંતૂર (Iulia Vantur) એ પણ કુમુદને યાદ કરતાં કહ્યું કે તેઓ હંમેશા ખુશ રહેતા અને લોકોના પ્રેમથી ઘેરાયેલા રહેતા હતા. તેમણે કુમુદની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી.
ચાહકોમાં શોકની લાગણી
કુમુદ રાણેના નિધનથી માત્ર ખાન પરિવાર જ નહીં પરંતુ તેમના મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. વર્ષો જૂના સંબંધો અને તેમના સ્નેહભર્યા સ્વભાવને કારણે તેઓ અનેક લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવતા હતા.
આ પણ વાંચો : Ramayana ફિલ્મમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ! શૂટિંગના અનુભવ પર કર્યો મોટો ખુલાસો