Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Prakash Raj પર દુ:ખનું પહાડ તૂટી પડ્યું, સૌથી નજીકની વ્યક્તિ ગુમાવી !

Prakash Raj, ના પરિવારમાં માતૃશોક વ્યાપ્યો છે, પરિવારના જણાવ્યા મુજબ, સુવર્ણલતા (Prakash Raj Mother Passed Away) 86 વર્ષની હતી, અને તેમના બેંગલુરુ નિવાસસ્થાને રહેતા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે બેંગલુરુમાં કરવામાં આવશે, જેમાં સંબંધીઓ અને શુભેચ્છકો હાજર રહે, અને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે તેવી અપેક્ષા છે. શુભેચ્છકો દ્વારા પરિવાર પર સંવેદનાઓ વરસાવવામાં આવી છે.
prakash raj પર દુ ખનું પહાડ તૂટી પડ્યું  સૌથી નજીકની વ્યક્તિ ગુમાવી
Advertisement
  • Prakash Raj, ના પરિવારમાં માતૃશોક વ્યાપ્યો
  • 86 વર્ષની ઉંમરે પ્રકાશ રાજની માતાનું બેંગલુરૂમાં નિધન
  • ફિલ્મ જગતમાંથી પ્રકાશ રાજ પરિવાર પર સંવેદનાઓનો વરસાદ

Prakash Raj : પીઢ ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજ તેમની માતા સુવર્ણલતાના અવસાન (Suvarnalata Passed Away) પર શોકમાં ડૂૂબ્યા છે. સુવર્ણલતાનું 30 માર્ચની સવારે બેંગલુરુમાં Ban વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અવસાન થયું છે. સમાચાર મળતાં જ પરિવારના સભ્યો તેમના ઘરે ભેગા થયા છે, અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Prakash Raj, બેંગલુરૂમાં અંતિમ સંસ્કાર

પરિવારના જણાવ્યા મુજબ, સુવર્ણલતા (Prakash Raj Mother Passed Away) 86 વર્ષની હતી, અને તેમના બેંગલુરુ નિવાસસ્થાને રહેતા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે બેંગલુરુમાં કરવામાં આવશે, જેમાં સંબંધીઓ અને શુભેચ્છકો હાજર રહે, અને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે તેવી અપેક્ષા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો --------- Ahida Sarmai: ધુરંધર 2 માં મેજર ઈકબાલની પુત્રી બનનાર કોણ છે? ડાઉન સિન્ડ્રોમ છતાં જીત્યા લાખોના દિલ

Prakash Raj, સંવેદનાઓનો વરસાદ

સુવર્ણલતાના અવસાન બાદ પ્રકાશ રાજ અને તેમના સમગ્ર પરિવાર માટે ફિલ્મ ઉદ્યોગના સાથી કલાકારો અને ચાહકો તરફથી સંવેદનાનો વરસાદ થઈ રહ્યો છે. પરિવાર હાલમાં બેંગલુરુમાં અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા અને સુવર્ણલતાના જીવનને યાદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે; ઘણા લોકો આ મુશ્કેલ સમયમાં ભારતીય સિનેમા સાથે પ્રકાશ રાજના લાંબા જોડાણને પણ યાદ કરી રહ્યા છે.

સાજો કરાયેલો દર્દી જીવન સાથી બન્યો

સુવર્ણલતાનો જન્મ કર્ણાટકમાં થયો હતો. તેમણે જીવનની શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અહેવાલો અનુસાર, ખ્રિસ્તી પરિવારમાં જન્મેલી અનાથ સુવર્ણલથા, યુવાનીમાં એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેણી તેના પતિને તે જ હોસ્પિટલમાં મળ્યા હતા, તે સુવર્ણલથા દ્વારા સારવાર કરાયેલ એક દર્દી હતો, પરંતુ તેઓ ટૂંક સમયમાં મિત્રો બન્યા અને પ્રેમમાં પડ્યા હતા. આ દંપતીએ એકસાથે પોતાનો પરિવાર શરૂ કર્યો. તેમને ત્રણ બાળકો હતા, જેમાં સૌથી મોટો પ્રકાશ રાજ, એક પુત્રી અને એક પુત્ર છે.

અભિનેતા દ્રશ્યમ 3 માં દેખાશે

બેંગલુરુમાં પ્રકાશ રાજ અને તેમનો પરિવાર શોકમાં છે. ભારતીય સિનેમામાં તેમની વિવિધ ભૂમિકાઓ માટે જાણીતા, પ્રકાશ રાજે તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મમાં ખૂબ જ અપેક્ષિત "દ્રશ્યમ 3" શામેલ છે.

આ પણ વાંચો --------- Dhurandhar 2 ફિલ્મના સોંગ પર રણવીર-સંજૂની જોડીએ માહોલ જમાવ્યો !

Tags :
Advertisement

.

×