Gaurav Khanna Akanksha Chamola Divorce: આકાંક્ષા ચમોલાએ શોમાં કર્યો મોટો ખુલાસો
આકાંક્ષા ચમોલાએ રિયાલિટી શોમાં કન્ફર્મ કર્યું છે કે તે અને ગૌરવ છેલ્લા 1 વર્ષથી અલગ રહી રહ્યા છે. હવે તેઓ સત્તાવાર રીતે છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે. નવેમ્બર 2016 માં કાનપુરમાં ધામધૂમથી લગ્ન કરનાર આ કપલનો સંબંધ હવે અંત તરફ છે. 'બિગ બોસ 19' અને 'સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા' સીઝન 1 ના વિજેતા ગૌરવ ખન્નાના ફેન્સ આ નિર્ણયથી ખૂબ જ નિરાશ થયા છે. આ ખુલાસા પછી સોશિયલ મીડિયા પર ગૌરવ ખન્નાના જૂના વીડિયો પણ વાયરલ થવા લાગ્યા છે.
Gaurav Khanna Akanksha Chamola Divorce: ગૌરવ ખન્નાને સંતાનની હતી ઈચ્છા
છૂટાછેડાના સમાચાર વાયરલ થતાં જ ગૌરવ ખન્નાનો 'બિગ બોસ 19' નો એક જૂનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તેણે મૃદુલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમને કોઈ બાળક નથી. ગૌરવ એક સમયે પિતા બનવા માંગતો હતો પરંતુ તેની પત્ની આ જવાબદારી માટે તૈયાર નહોતી. ગૌરવ પોતાની પત્નીની ઈચ્છાનું સન્માન કરતો હતો. શૂટિંગમાં વ્યસ્ત રહેવાના કારણે તે બાળકની પરવરિશ કોઈ બહારની વ્યક્તિના ભરોસે છોડવા માંગતો નહોતો.
આકાંક્ષાએ જણાવ્યું હતું માતા ન બનવાનું કારણ
'બિગ બોસ 19' ના ફેમિલી વીક દરમિયાન આકાંક્ષાએ માલતી ચાહર અને પ્રણીત મોરે સાથે ફેમિલી પ્લાનિંગ પર વાત કરી હતી. આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેને ક્યારેય માતા બનવાની ઈચ્છા થઈ નથી. તેના મનમાં આવી કોઈ ભાવના જાગી નથી. આકાંક્ષાના મતે જો તમે કોઈ બાબતમાં બહાના શોધો છો તો તેનો અર્થ એ છે કે તમે માનસિક રીતે તૈયાર નથી. તે બાળકની આટલી મોટી જવાબદારી ઉપાડવા સક્ષમ નથી.
કારકિર્દી અને મહત્વાકાંક્ષા અંગે આકાંક્ષાના અલગ વિચાર
આકાંક્ષા પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી. અને તેની પોતાની કેટલીક અંગત મહત્વાકાંક્ષાઓ હતી. બાળક ઉછેરવા માટે દરેક ઉંમરે 100% આપવું પડે છે, જે આકાંક્ષા માટે મુશ્કેલ હતું. લોકો ભલે તેને સ્વાર્થી કહે પરંતુ તે પોતાની વિચારસરણીમાં મક્કમ હતી. તે સમયે ગૌરવે પણ આકાંક્ષાનો બચાવ કર્યો હતો. ગૌરવે આકાંક્ષાને સ્વાર્થી નહીં, પરંતુ પ્રેક્ટિકલ ગણાવી હતી.
શું સંતાન ન હોવું એ જ બન્યું સંબંધ તૂટવાનું કારણ?
હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ એવા કયાસ લગાવી રહ્યા છે કે, શું આ લગ્ન તૂટવાનું મુખ્ય કારણ સંતાન છે. એક તરફ ગૌરવ પિતા બનવાની ઈચ્છા રાખતો હતો તો બીજી તરફ આકાંક્ષા આ માટે તૈયાર નહોતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી છૂટાછેડા અંગે માત્ર આકાંક્ષા તરફથી જ વાતો સામે આવી છે. ગૌરવ ખન્નાએ હજી સુધી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ફેન્સ હવે 'લોક અપ 2' ના આગામી એપિસોડ્સની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો--- Rohit Shetty Threat Call : 'ખતરો કે ખિલાડી'ના હોસ્ટ પર અસલી 'ખતરો'! રોહિત શેટ્ટી પાસે 20 કરોડની માંગથી મુંબઈ પોલીસ હરકતમાં