Geeta Patnaik Death: ઓડિયા સંગીત જગતમાં શોક, લોકપ્રિય ગાયિકા Geeta Patnaikનું 73 વર્ષની વયે અવસાન
- Geeta Patnaik Death: ઓડિયા સંગીત જગતમાં શોક
- જાણિતા લોકગાયિકા ગીતા પટનાયકનું નિધન
- ચાલુ કાર્યક્રમમાં તબિયત બગડતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
Geeta Patnaik Death: ઓડિયા સંગીત જગત (Odia music world) માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અને પ્રખ્યાત ગાયિકા ગીતા પટનાયક (Geeta Patnaik) નું કટકની એક ખાનગી હોસ્પિટલ (Private hospital) માં સારવાર દરમિયાન અવસાન થયું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે તેમને બ્રેઇન સ્ટ્રોક (Brain stroke) આવતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સાંજે 73 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ઓડિયા સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Geeta Patnaik Death: કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી, બ્રેઇન સ્ટ્રોક બન્યો કારણ
માહિતી મુજબ, ગુરુવારે એક કાર્યક્રમ (Program) માં હાજરી આપતી વખતે તેમની અચાનક તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને કટકની કેપિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારપછી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તેમના બનેવી પ્રદોષ પટનાયકે જણાવ્યું કે સારવાર દરમિયાન ડોક્ટરો (Doctors)એ રવિવારે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
Geeta Patnaik Death: પાંચ દાયકાની યાદગાર કારકિર્દી
Geeta Patnaikની કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી રહી હતી. તેમણે અનેક જાણીતા કલાકારો અને સંગીતકારો સાથે કામ કર્યું હતું. ખાસ કરીને પ્રખ્યાત ઓડિયા ગાયક Akshaya Mohanty સાથેનો તેમનો સહયોગ ખૂબ પ્રસિદ્ધ રહ્યો હતો. ફિલ્મ Jajabara ના લોકપ્રિય ગીત “ફર કિના ઉડીગલા બાની” સહિત અનેક હિટ ગીતો (Hit songs) ને તેમણે પોતાનો મધુર અવાજ આપ્યો હતો. તેમના ગીતો આજે પણ શ્રોતાઓના દિલમાં જીવંત છે.
Geeta Patnaik Death: નેતાઓએ વ્યક્ત કર્યો શોક
ગીતા પટનાયકના નિધન પર રાજ્યના રાજકીય નેતાઓ (Political leaders) એ પણ શોક વ્યક્ત કર્યો છે. ઓડિશાના મુખ્યમંત્રી Mohan Charan Majhiએ જણાવ્યું કે તેમનું નિધન ઓડિશા (Odisha) ની સંગીત અને સંસ્કૃતિ માટે અપૂર્ણ નુકસાન છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath) પાસે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીજેડી વડા Naveen Patnaikએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમના મધુર અવાજે ઓડિયા સંગીતને દરેક ઘરમાં પહોંચાડ્યું અને તેમના ગીતો હંમેશા યાદ રહેશે.
ગીતા પટનાયકનું નિધન ઓડિયા સંગીત માટે એક મોટું ખાલીપું છોડી ગયું છે, જેને ભરવું મુશ્કેલ રહેશે.
આ પણ વાંચો-- હાર્દિક પંડ્યાના દિલ પર જ નહીં, હવે ગરદન પર પણ માહિકાનું નામ! વેલેન્ટાઈન પર આપ્યું મોટું સરપ્રાઈઝ
આ પણ વાંચો-- Vijay Deverakonda Rashmika Wedding :પૈસા કરતા પ્રેમ વ્હાલો! વિજય-રશ્મિકાએ 60 કરોડની ઓફર કેમ ઠુકરાવી?


