ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Govinda divorce news :શું સુનિતા આહુજાએ અગાઉથી જ ગોવિંદા સાથે છૂટાછેડાના આપી દીધા હતા સંકેત? જૂઓ Video

જે મારું ઘર તોડશે, તેને મા કાલી માફ નહીં કરે," સુનીતા આહુજાએ તાજેતરના વ્લોગમાં કયા સંકેત આપ્યા હતા?
06:32 AM Aug 23, 2025 IST | Mihir Solanki
જે મારું ઘર તોડશે, તેને મા કાલી માફ નહીં કરે," સુનીતા આહુજાએ તાજેતરના વ્લોગમાં કયા સંકેત આપ્યા હતા?
Govinda divorce news

Govinda divorce news : બોલિવૂડના 'હીરો નંબર વન' ગોવિંદા વિશે એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. સુનિતાએ પોતાની અરજીમાં પતિ ગોવિંદા પર છેતરપિંડી, બેવફાઈ અને ક્રૂરતા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સુનિતા આહુજાએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની (Govinda divorce news ) અરજી દાખલ કરી છે. તેણીએ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 ની કેટલીક કલમોનો ઉલ્લેખ કરીને તેના 38 વર્ષ જૂના લગ્નનો અંત લાવ્યો છે, જેમાં બીજી મહિલા સાથેના સંબંધ અને ક્રૂરતાને છૂટાછેડાનો આધાર બનાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, કોર્ટે ગોવિંદાને 25 મેના રોજ આ કેસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયો ન હતો, ત્યારબાદ કોર્ટે તેને કારણ બતાવો નોટિસ જારી કરી છે.

સુનિતા શા કારણે રડી પડી હતી?

આ સમાચાર બહાર આવ્યાના થોડા દિવસો પહેલા જ સુનિતા આહુજાએ તેની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો. આ વ્લોગમાં, તે મુંબઈના મહાલક્ષ્મી મંદિરના પૂજારી સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ અને રડી પડી. તેણીએ તેના અંગત જીવનના ઉતાર-ચઢાવ વિશે ખુલ્લેઆમ વાત કરી.

સુનિતાએ વ્લોગમાં શું કહ્યું હતું ?

વ્લોગમાં, સુનિતાએ કહ્યું હતું કે, "જ્યારે હું ગોવિંદાને મળી, ત્યારે મેં દેવીને પ્રાર્થના કરી કે હું તેની સાથે લગ્ન કરું અને સુખી જીવન જીવું. મારી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ અને મને બે બાળકોનો આશીર્વાદ પણ મળ્યો. પરંતુ જીવન હંમેશા સરળ નથી. મને મા કાલીમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને હું જાણું છું કે તે કોઈને પણ માફ કરશે નહીં જે મારું ઘર તોડવાનો પ્રયાસ કરશે." સુનિતાના આ નિવેદનને હવે છૂટાછેડાના સમાચાર સાથે જોડી દેવામાં આવી રહી છે.

મેનેજરે અગાઉ પણ સ્પષ્ટતા આપી હતી

આ પહેલી વાર નથી જ્યારે ગોવિંદા અને સુનિતા વચ્ચેના સંબંધોમાં તિરાડના અહેવાલો સામે આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં, ગોવિંદાનું નામ 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે જોડવામાં આવ્યું હતું. તે સમયે, ગોવિંદાના મેનેજર શશી સિંહાએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોના કેટલાક નિવેદનોને કારણે બંને વચ્ચે મતભેદો છે, પરંતુ તેઓ તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તાજેતરના અહેવાલોએ આ જૂની અફવાઓને વધુ બળ આપ્યું છે.

આ પણ વાંચો :  શું બંધ થવાનો છે Kapil Sharmaનો શૉ? બે મોટા સ્ટાર્સ લડ્યા, સેટ પરનો વીડિયો થયો વાયરલ

Tags :
Bollywood divorceGovinda affairsGovinda divorce newsGovinda wifeSuita Ahuja divorce
Next Article