ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જિયાએ કેટલીક ફિલ્મો કરીને બોલિવૂડમાં નામ કમાવ્યું હતું, સુસાઈડ નોટ વાંચીને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા

અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ  બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી એ દરેક એક્ટિંગ પ્રેમીનું મોટું સપનું હોય છે. આ ઉદ્યોગમાં ઘણા લોકો આવે છે, પરંતુ ઘણા લોકો માટે આ રસ્તો સરળ નથી. આ ક્રમમાં, એવા ઘણા લોકો છે જેઓ તેમની ખૂબ...
08:01 AM Jun 03, 2023 IST | Vishal Dave
અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ  બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી એ દરેક એક્ટિંગ પ્રેમીનું મોટું સપનું હોય છે. આ ઉદ્યોગમાં ઘણા લોકો આવે છે, પરંતુ ઘણા લોકો માટે આ રસ્તો સરળ નથી. આ ક્રમમાં, એવા ઘણા લોકો છે જેઓ તેમની ખૂબ...

અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી એ દરેક એક્ટિંગ પ્રેમીનું મોટું સપનું હોય છે. આ ઉદ્યોગમાં ઘણા લોકો આવે છે, પરંતુ ઘણા લોકો માટે આ રસ્તો સરળ નથી. આ ક્રમમાં, એવા ઘણા લોકો છે જેઓ તેમની ખૂબ જ ટૂંકી કારકિર્દીમાં પણ દર્શકોના દિલમાં પોતાની ઓળખ છોડી દે છે. આજના લેખમાં અમે એવી જ એક અભિનેત્રી જિયા ખાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ફિલ્મોમાં કામ કરીને પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

અભિનેત્રી જિયા ખાનની આજે પુણ્યતિથિ છે. જિયાએ નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેત્રી જિયા ખાનનું સાચું નામ નફીસા ખાન હતું. જીઆનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો. જિયાના પિતા અલી રિઝવી ખાન ભારતીય અમેરિકન છે અને માતા રાબિયા અમીન જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી છે. જિયાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ અભિનેત્રીને વાસ્તવિક ઓળખ આમિર ખાન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'ગજની'થી મળી હતી.

અભિનેત્રીના કરિયરની વાત કરીએ તો, જિયાએ રામ ગોપાલ વર્માની ફિલ્મ 'નિશબ્દ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે 'બિગ બી' એટલે કે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. જિયાએ આ પહેલા ફિલ્મ 'દિલ'માં મનીષા કોઈરાલાના બાળપણનો રોલ પણ કર્યો હતો. આ ફિલ્મમાં તેના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો.

જિયા 3 જૂન 2013ના રોજ મોતને ભેટી હતી. અભિનેત્રીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસ બાદ જિયાએ લખેલી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં જિયાએ પોતાના દિલની બધી પીડા લખી હતી, જેના માટે તે ચિંતિત હતી. એટલું જ નહીં, અભિનેત્રીએ લખેલી આ સુસાઈડ નોટમાં બધું જ એક્ટર સૂરજ પંચોલી તરફ ઈશારો કરતું હતું. અભિનેત્રીએ લખ્યું, 'તને આ કેવી રીતે કહેવું તે ખબર નથી. પણ હવે ગુમાવવા જેવું કંઈ બચ્યું નથી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ તેના કથિત બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર તેને આવું કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ સૂરજની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સૂરજને કોર્ટે છોડી દીધો હતો. આજે પણ જિયાની આ સુસાઈડ નોટ ચર્ચાનો વિષય બની છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી ડિપ્રેશનથી પીડિત હતી, જેના કારણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

Tags :
BollywoodfilmsJiajia khansuicideSuicide Note
Next Article