Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Karishma Kapoor અને તેના સંતાનોને કોર્ટમાંથી મોટી રાહત, જાણો વિગતવાર

Karishma Kapoor ના પૂર્વ પતિની સંપત્તિ વેચવા પર રોક, કોર્ટે એ પણ સ્વીકાર્યું કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરની માતાએ વસિયતનામાની પ્રામાણિકતા અને માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં, હવે આ શંકાઓનું નિરાકરણ લાવવાનું કામ પ્રિયા કપૂર પર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ટ્રાયલ નક્કી કરશે કે, વસિયતનામા સાચા છે કે નહીં. ત્યાં સુધી, બધી સંપત્તિઓનું રક્ષણ કરવું આવશ્યક છે.
karishma kapoor અને તેના સંતાનોને કોર્ટમાંથી મોટી રાહત  જાણો વિગતવાર
Advertisement
  • Karishma Kapoor ના પૂર્વ પતિની સંપતી વેચવા પર રોક લગાડાઇ
  • દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન મોટો નિર્ણય લેવામાં આવ્યો
  • સંજય કપૂરની ત્રીજી પત્ની દ્વારા રજૂ કરવામાં આવેલી વસિયતનામું બનાવટી હોવાનો દાવો

Karishma Kapoor : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કરિશ્મા કપૂરના બાળકોને મોટી રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોની અરજી પર વચગાળાનો સ્ટે આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, પ્રિયા કપૂરે (Priya Kapoor) બાળકોની ચિંતાઓનો ઉકેલ લાવવો જોઈએ. હવે પ્રિયા કપૂર કોઈ મિલકત વેચી કે ટ્રાન્સફર કરી શકતી નથી.

Karishma Kapoor, મિલકતનું રક્ષણ કરવાની જરૂર

દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બે બાળકોની વચગાળાની સ્ટે અરજી મંજૂર કરી છે. સંજય કપૂર (Sunjay Kapur Property Dispute Case) દ્વારા છોડી ગયેલી મિલકતને તેમની સાવકી માતા પ્રિયા કપૂરને વેચવાથી રોકવામાં આવી છે. જસ્ટિસ જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે, સંપત્તિઓ ફડચામાં ન લેવી જોઈએ, મિલકતનું રક્ષણ કરવાની જરૂર છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Toxic Postponed : યશની ફિલ્મની રિલીઝ ફરી અટકી, ડિરેક્ટરો મજાક બન્યા !

Karishma Kapoor, સમાયરા અને કિયાન સાથે અન્યાય થશે

દિલ્હી હાઈકોર્ટે બેંક ખાતાઓના સંચાલન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે સંજય કપૂરના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જો ટ્રાયલ સ્ટેજ પર વસિયતનામા બનાવટી સાબિત થાય છે, તો તે સમાયરા અને કિયાન સાથે અન્યાય થશે.

શંકાઓનું નિરાકરણ લાવવાનું કામ પ્રિયા કપૂર પર

કોર્ટે એ પણ સ્વીકાર્યું કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરની માતાએ વસિયતનામાની પ્રામાણિકતા અને માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં, હવે આ શંકાઓનું નિરાકરણ લાવવાનું કામ પ્રિયા કપૂર પર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ટ્રાયલ નક્કી કરશે કે, વસિયતનામા સાચા છે કે નહીં. ત્યાં સુધી, બધી સંપત્તિઓનું રક્ષણ કરવું આવશ્યક છે.

આ કામો પર રોક લગાડવામાં આવી

  • કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય કંપનીઓમાં શેર અથવા હિસ્સામાં કોઈ ફેરફાર થશે નહીં.
  • મિલકત વેચવા, ગીરો રાખવા અથવા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ છે.
  • પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ છે.
  • વ્યક્તિગત સામાન, કલાકૃતિઓ વગેરે વેચવા પર પણ પ્રતિબંધ છે.
  • 2. ભારતીય બેંકોમાં 3 ખાતામાંથી ઉપાડ પ્રતિબંધિત છે (ફક્ત બાળકોના ખર્ચ માટે મુક્ત).
  • વિદેશી બેંક ખાતાઓ અને ક્રિપ્ટોકરન્સીના સંચાલન પર પણ પ્રતિબંધ છે.

સંજય કપૂરનું લગ્ન જીવન

સંજય કપૂરનું 12 જૂન, 2025 ના રોજ અવસાન થયું હતું. તેમણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન ફેશન ડિઝાઇનર નંદિતા મહેતાની સાથે થયા હતા, પરંતુ આ લગ્ન ટક્યા નહીં. તેમના 2000 માં છૂટાછેડા થયા હતા. તેમના બીજા લગ્ન 2003 માં કરિશ્મા કપૂર સાથે થયા હતા. કરિશ્મા કપૂર સાથેના આ લગ્ન 2016 સુધી ચાલ્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો હતા. તેમના ત્રીજા લગ્ન 2017 માં પ્રિયા સચદેવ સાથે થયા હતા. પ્રિયા અને સંજયને એક પુત્ર છે.

આ પણ વાંચો - Siddhant Chaturvedi ની ચાહકોને મોટી ભેટ, જન્મદિવસે સોંગ રિલીઝ કર્યું

Tags :
Advertisement

.

×