વન નાઈટ સ્ટેંડમાં પ્રેગ્નેંટ થઈ ગઈ હતી એક્ટ્રેસ, 30 વર્ષની ઉંમરે કરાવ્યો હતો ગર્ભપાત
- અભિનેત્રી કુબ્રા સૈતે ગર્ભપાત વિશે કરીને ખુલીને વાત (Kubbra Sait Abortion Interview)
- વિરણ ભાયાણીની યૂટ્યૂબ ચેનલ પર આપ્યો હતો ઈન્ટવ્યૂ
- વન નાઈટ સ્ટેન્ડ બાદ કુબ્રા સૈતને રહી ગયો હતો ગર્ભ
- તે સમયે મેં જે કર્યું તે મારા માટે સાચું હતું : કુબ્રા સૈત
Kubbra Sait Abortion Interview : સેક્રેડ ગેમ્સ' (Sacred Games) જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કુબ્રા સૈત (Kubbra Sait) ફરી એકવાર ચર્ચામાં છે. કુબ્રા છેલ્લે અજય દેવગણની ફિલ્મ 'સન ઑફ સરદાર 2' માં જોવા મળી હતી અને તાજેતરમાં તે એક રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફૉલ' માં પણ નજર આવી હતી. જોકે, આ દિવસોમાં કુબ્રા તેના એક તાજેતરના ઇન્ટરવ્યુ (Latest Interview) ને કારણે લાઇમલાઇટમાં છે, જેમાં તેણે પોતાના જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંના એક, ગર્ભપાત (Abortion Decision) કરાવવા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
View this post on Instagram
ગર્ભપાત વિશે કુબ્રા સૈતનો નિખાલસ મત (Kubbra Sait Abortion Interview)
કુબ્રા સૈતે વાયરલ ભયાણીની યુટ્યુબ ચેનલ (YouTube Channel) ને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેને તેના ગર્ભપાત વિશે ફરી સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે આ મુદ્દા પર નિખાલસતાથી વાત કરી.
અભિનેત્રીએ કહ્યું, "એ વાતને ઘણાં વર્ષો વીતી ગયા છે, અને મારી પાસે તેના વિશે વિચારવા અને તેમાંથી બહાર આવવા માટે ઘણો સમય હતો. પરંતુ જ્યારે તમારા જીવનમાં આવી કોઈ ક્ષણ આવે છે, ત્યારે તમે બૌખલાઈ જાઓ છો. કારણ કે તમારી સાથે તમારું ઈમાન, તમારી ફરજ અને તમે કેવા સમાજમાં છો, તે દુનિયા પણ જોડાયેલી હોય છે. તમે તે સમયે ખૂબ જ પરેશાન થઈ જાઓ છો કે તમે આ કેવી રીતે કરી શકશો કે નહીં."
'તે સમયે મેં જે કર્યું તે મારા માટે સાચું હતું'
કુબ્રાએ આગળ વાત કરતા જણાવ્યું, "તે સમયે, તમને ખરેખર ખબર નથી હોતી કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો, તે સાચો છે કે નહીં. પરંતુ આજે, હું પૂરા વિશ્વાસ (Full Conviction) સાથે કહી શકું છું કે મેં તે સમયે જે નિર્ણય લીધો હતો, તે મારા માટે યોગ્ય હતો. કારણ કે મને ખબર છે કે જો મેં કોઈ ભૂલ કરી હોત, તો ભગવાન જોઈ રહ્યો હોત અને મારે પરલોકમાં તેના પરિણામ ભોગવવા પડ્યા હોત."
કુબ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ મુદ્દે તેની આલોચના (Troll) (Troll) પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : આલિયા-રણબીર દિવાળી પર કરશે નવા ઘરમાં ગૃહ પ્રવેશ, 250 કરોડના બંગ્લામાં શું છે ખાસ?


