Madhuri Jain controversial statement: માધુરી જૈનનું વિવાદાસ્પદ નિવેદન
નેટફ્લિક્સના રિયાલિટી શો 'લોકઅપ: સચ યા સજા'માં માધુરી જૈને વિવાદિત નિવેદન આપ્યું હતું. માધુરીએ દાવો કર્યો છે કે, અમીરોમાં વધુ બાળકો હોવાથી અમીરી વધે છે, જ્યારે ગરીબોમાં વધુ બાળકો ગરીબીમાં વધારો કરે છે. આ નિવેદન બાદ તેમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. શો દરમિયાન માધુરી જૈને પોતાના ત્રીજા બાળકને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ત્રીજું બાળક વ્યક્તિને યુવાન રાખે છે.
Madhuri Jain controversial statement: શાહરૂખ ખાનનું ઉદાહરણ
એટલું જ નહીં પણ માધુરી જૈને બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાન સહિતના ધનિક વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને ઉદાહરણ આપ્યું હતું જેમને ૩ બાળકો છે. તેણે વધુમાં કહ્યું કે 'હમ દો હમારે દો'ની કહેવત દરેક માટે નથી. માધુરીના મતે અમીરોમાં બાળકોની સંખ્યા વધવાથી સંપત્તિમાં વધારો થાય છે, અને ગરીબોમાં વધુ બાળકો ગરીબીને વધારે છે. આ નિવેદન બાદ યુઝર્સે તેમની આકરી ઝાટકણી કાઢી છે.
અશ્નીર ગ્રોવરનો આકરો પ્રતિસાદ
સોશિયલ મીડિયા પર લોકોએ અશ્નીર ગ્રોવરને ઘેરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે અશ્નીરને સલાહ આપી કે તેઓ પોતાની 900 કરોડની સંપત્તિમાંથી 1800 પરિવારોને 50 લાખ રૂપિયા આપે જેથી તેમના બાળકોનું ભરણપોષણ થઈ શકે. આ યુઝરે પ્રશ્ન કર્યો કે તમે માત્ર ૨ બાળકો માટે 900 કરોડ રૂપિયા કેમ રાખી રહ્યા છો? અશ્નીરે આ ટિપ્પણી પર કટાક્ષ કર્યો અને લખ્યું કે ભીખ માંગવાની રીત થોડી અલગ છે. તેમનો આ જવાબ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા
અશ્નીર ગ્રોવરના આ નિવેદન બાદ લોકોમાં ચર્ચા જાગી છે. કેટલાક યુઝર્સે અશ્નીરની હાજરજવાબીના વખાણ કર્યા છે, જ્યારે કેટલાક તેમને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. ઘણા લોકો એવું માની રહ્યા છે કે રિયાલિટી શોમાં ભાગ લીધા પછી માધુરી જૈને આપેલા આ નિવેદનથી તેમની છબીને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહેશે કે શોમાંથી બહાર આવ્યા બાદ માધુરી જૈન આ સમગ્ર વિવાદ અંગે શું સ્પષ્ટતા કરે છે.
આ પણ વાંચો--- Mahaprabhu Jagannath Animated Movie : 10 હજાર ભક્તોની હાજરીમાં ભવ્ય ટ્રેલર લોન્ચ, રથયાત્રાના અવસરે ફિલ્મ આ તારીખે થશે રિલીઝ