Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

'પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી', નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ

અભિનેત્રી નીના ગુપ્તાએ પુરુષોની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે મર્દોને આઝાદ અને મજબૂત મહિલાઓ પસંદ આવતી નથી. તેમના મતે પુરુષો એવી મહિલાઓ પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે જે લાચાર હોય. નીનાએ પોતાનો અંગત અનુભવ પણ શેર કર્યો કે કેવી રીતે ભૂતકાળમાં તેમની સગાઈ છેલ્લી ઘડીએ કોઈ સ્પષ્ટ કારણ વગર તોડી નાખવામાં આવી હતી.
 પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી   નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ
Advertisement

. સશક્ત મહિલાઓ મેરેજ મટિરિયલ હોતી નથી: નીના ગુપ્તા
. પુરુષોને રોતીધોતી લાચાર મહિલાઓ જ પસંદ છે: નીના ગુપ્તા
. પુરુષો મહિલા પર પોતાનો અધિકાર જમાવવા ચાહે છે: નીના ગુપ્તા

મુંબઈ: એક્ટ્રેસ નીના ગુપ્તા અવાર-નવાર પોતાના અંગત જીવન અને સામાજિક મુદ્દાઓને લઈને ખુલીને વાત કરતાં રહ્યા છે. તાજેતરમાં એક્ટ્રેસે સમાજમાં મહિલાઓની પરિસ્થિતિને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમના પ્રમાણે, પુરુષોને આઝાદ અને મજબૂત મહિલાઓ માફક આવતી નથી. આ દરમિયાન નીના ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે તેમની એક શખ્સ સાથે સગાઈ થઈ હતી, જે બાદમાં રદ્દ થઈ હતી.

Advertisement

હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા નીના ગુપ્તાએ કહ્યું હતું કે એમ્પાવર મહિલાઓ મેરેજ મટિરિયલ હોતી નથી. મોટાભાગે મર્દોને સ્ટ્રોંગ મહિલાઓ પસંદ આવતી નથી. તેમને તે રોતી-ધોતી લાલાચ મહિલાઓ પસંદ હોય છે. તેમને મજબૂત મહિલાઓ, યા તો એવી મહિલાઓ કે જેઓ પોતાના વિચારોને ખુલીને સૌની સામે મૂકે છે, કામ કરે છે, પોતાના કરિયર માટે પેશનેબલ હોય છે, તેમનાથી નફરત કરે છે. તે મહિલાઓ પર પોતાનો અધિકાર જમાવવા ચાહે છે.

Advertisement

નીના ગુપ્તાએ પોતાનો અનુભવ શેયર કર્યો

નીના ગુપ્તા અહીં જ થંભ્યા નહીં અને તેમણે કહ્યું કે હું સામાન્યપણે એ વાત બોલી રહી છું. પરંતુ તમામ પર આ વાત લાગુ થતી નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણી 95 ટકા વસ્તી આવી છે. હું આ વાત કોઈ વિવાદ માટે કહી રહી નથી, પરંતુ આ મેં મારા ઘર અને સમાજમાં ખુદ જોયું અને અનુભવ્યું છે. મારી સગાઈ એક એવા યુવક સાથે થઈ હતી, જેણે આખરી સમયમાં મને છોડી દીધો હતો.

મારા મનમાં તો બાળકો કરવાની આશા હતી અને અંગુઠીની રસમ પણ થઈ ગઈ હતી. હું મારા કપડાં અને ઘરેણાંની ખરીદી માટે દિલ્હી પહોંચી ગઈ હતી. અચાનક મને તેણે ફોન કર્યો અને કહ્યુ કે આપણા લગ્ન હાલ થઈ શકે નહીં. મેં પુછયું શું થયું, તો તેણે કહ્યુ કે તેને સાઈનસનું ઓપરેશન કરાવવું પડી રહ્યું છે. તો તે લગ્ન નહીં કરી શકે.

નીના ગુપ્તાએ કહ્યું કે આજ સુધી મને ખબર નથી કે તે સંબંધ કેમ તૂટયો હતો. હું તેના માતાપિતને પુછતી રહી કે વાત શું છે, પરંતુ તેમણે મને ક્યારેય જણાવ્યું નહીં કે સગાઈ શા માટે તોડવામાં આવી હતી. પછી તે લગભગ 6 માસ બાદ પાછો આવ્યો અને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. મેં તેને મોંઢા પર કહ્યુ કે જતો રહે. હવે હું તારી સાથે લગ્ન નહીં કરું.

આ પણ વાંચો: 20 મિનિટ સુધી વિચાર્યા બાદ અભિનેત્રીએ ટેકરી પરથી લગાવી છલાંગ

Tags :
Advertisement

.

×