ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

No Entry 2: મહિલાઓને લઈને સલમાન ખાનના વિચારો કેવા છે? સાથી કલાકારે ખોલ્યા રાઝ

ફિલ્મ 'નો એન્ટ્રી' ના સિક્વલ પહેલાં, અભિનેત્રી સેલિના જેટલીએ શૂટિંગ દરમિયાન અનિલ કપૂર અને સલમાન ખાન સાથેના પોતાના અનુભવો શેર કર્યા. જાણો આખી વાત.
07:07 AM Aug 28, 2025 IST | Mihir Solanki
ફિલ્મ 'નો એન્ટ્રી' ના સિક્વલ પહેલાં, અભિનેત્રી સેલિના જેટલીએ શૂટિંગ દરમિયાન અનિલ કપૂર અને સલમાન ખાન સાથેના પોતાના અનુભવો શેર કર્યા. જાણો આખી વાત.
No Entry 2

આજકાલ ફિલ્મ 'નો એન્ટ્રી' ની સિક્વલના સમાચાર જોરમાં છે. લગભગ 20 વર્ષ પહેલા આવેલી આ કોમેડી ફિલ્મે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું અને આજે પણ તે લોકોની પ્રિય ફિલ્મોમાંની એક છે. 'નો એન્ટ્રી 2' નામથી બનનારી આ ફિલ્મમાં જૂની કાસ્ટ જોવા મળશે નહીં, પરંતુ બોલીવુડમાં તેના વિશે ઘણી ચર્ચા છે. આ દરમિયાન, ફિલ્મની અભિનેત્રી સેલિના જેટલીએ પહેલી ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક યાદગાર કિસ્સાઓ શેર કર્યા છે, જેમાં અનિલ કપૂર અને સલમાન ખાન સાથે કામ કરવાનો તેમનો અનુભવ શામેલ છે.

સેલિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં એક દ્રશ્યનું શૂટિંગ કરતી વખતે તેમને અનિલ કપૂર સાથે કામ કરવાની તક મળી હતી. તેમણે કહ્યું, "તે મારો પહેલો દ્રશ્ય હતો, જેમાં અનિલ કપૂરનું પાત્ર તેની પત્ની સાથે વાત કરે છે. તે કંઈક વિચારે છે અને પછી અચાનક બેહોશ થઈ જાય છે." સેલિનાએ આ દ્રશ્યને ખૂબ જ રમુજી ગણાવ્યું અને કહ્યું કે અનિલ કપૂર સાથે કામ કરવું તેમના માટે એક શાનદાર અનુભવ હતો.

સલમાન ખાન ખૂબ રક્ષાણાત્મક હતો

સલમાન ખાન વિશે વાત કરતાં સેલિનાએ કહ્યું, "જ્યારે પણ સલમાન ખાન સેટ પર આવતો હતો, ત્યારે તે એક અલગ જ ઉર્જા અને ઉત્સાહ લઈને આવતો હતો. તે દરમિયાન તે ઘણી બધી ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં, તે પોતાના કામમાં સંપૂર્ણપણે ડૂબી જતો હતો. તે સેટ પર હસતો અને મજાક કરતો હતો, પરંતુ તે જ સમયે તે છોકરીઓ પ્રત્યે ખૂબ જ રક્ષણાત્મક હતો."

No Entry 2 નવા કલાકરો વિશે ચર્ચા

તે જ સમયે, 'નો એન્ટ્રી 2' ના નવા કલાકારો વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર, બોની કપૂરની આ ફિલ્મમાં અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ જેવા કલાકારો જોવા મળી શકે છે. બોની કપૂરે પણ ફિલ્મના કલાકારોમાં ફેરફાર અંગે એક ઇન્ટરવ્યુમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, "અમે ઇચ્છતા હતા કે જૂની કલાકારો પાછા આવે, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં, જેનો અમને ખૂબ અફસોસ છે. અમે તેમને ખૂબ યાદ કરીશું."

No Entry 2 ની દર્શકો જોઈ રહ્યા છે રાહ

ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અને તમન્ના ભાટિયા હોવાના પણ અહેવાલો છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દર્શકો આ નવી કલાકારો સાથે 'નો એન્ટ્રી 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :    મદુરાઈમાં પ્રખ્યાત અભિનેતા અને TVK પાર્ટીના અધ્યક્ષ Thalapathy Vijay સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

Tags :
anil kapoorbollywood-newsCelina Jaitly interviewNo Entry sequelsalman khan
Next Article