Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'Jai Ho' સોંગને લઇને વિવાદ સામે આવ્યો, RGV એ કહી મોટી વાત !

હાલમાં જાણીતા સંગતકાર એ. આર. રહેમાને ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. જેને પગલે સિંગરને તમામ બાજુએથી ઘેરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માનો જય હો સોંગને લઇને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે રહેમાન સાથેનો વિવાદ વકર્યો છે. આ વચ્ચે તેમણે ટ્વીટર પર સ્પષ્ટતા આપવી પડી છે.
 jai ho  સોંગને લઇને વિવાદ સામે આવ્યો  rgv એ કહી મોટી વાત
Advertisement
  • હાલ સિંગર એ. આર. રહેમાન વિવાદોમાં ધેરાયેલા છે
  • આ વચ્ચે રામગોપાલ વર્માનો જૂનો વીડિયો વાયરલ થયો
  • વાયરલ વીડિયોમાં જય હો સોંગને લઇને તેમણે સવાલો ઉઠાવ્યા હતા
  • આખરે આ મામલે રામગોપાલ વર્માએ સ્પષ્ટતા કરવી પડી છે

Jai Ho Song Controversy, RGV Clarify : ભારતીય ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા આપવામાં આવેલા "વિવાદીત નિવેદન" ને લઈને ઘણો વિવાદ થયો છે. બોલિવૂડથી લઈને દક્ષિણ ભારતીય સિનેમા સુધીના ઘણા સ્ટાર્સે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક એ.આર. રહેમાન પર નિશાન સાધી રહ્યા છે, જ્યારે કેટલાકે સમર્થન વ્યક્ત કર્યું છે. આ દરમિયાન, રામ ગોપાલ વર્માનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાવો કરે છે કે, ઓસ્કાર વિજેતા ગીત "જય હો" એ.આર. રહેમાન દ્વારા નહીં પરંતુ સુખવિંદર સિંહ દ્વારા રચિત હતું. આ વીડિયો વાયરલ થયા પછી, દિગ્દર્શકે હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરતી એક પોસ્ટ બહાર પાડી છે.

Advertisement

રૂ. 5 લાખમાં રહેમાનને વેચી દીધું

ટ્વીટર પોસ્ટમાં, રામ ગોપાલ વર્માએ લખ્યું, "હું બધાને વિનંતી કરું છું... 'જય હો' ગીત અંગેના મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, અને તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. મારા મતે, એ.આર. રહેમાન મહાન સંગીતકાર અને સૌથી ઉમદા માનવી છે. તે કોઈની સિદ્ધિઓ છીનવી લેનાર વ્યક્તિ નથી. મને આશા છે કે, આ મુદ્દાને લગતી નકારાત્મકતાનો અંત આવશે." નોંધનીય છે કે 2024 માં, રામ ગોપાલ વર્માએ દાવો કર્યો હતો કે, સુખવિંદર સિંહે સુભાષ ઘાઈની ફિલ્મ "યુવરાજ" માટે "જય હો" ગીત કમ્પોઝ કર્યું હતું, અને બાદમાં તેને એઆર રહેમાનને રૂ. 5 લાખમાં વેચી દીધું હતું.

Advertisement

 આ પણ વાંચો ---------  Elvish Jannat Zubair Affair : શું એલ્વિશ યાદવને મળી ગઈ તેની ડ્રીમ ગર્લ? જન્નત સાથેની કેમેસ્ટ્રીની ચર્ચાઓ

ગીત માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો

સુખવિંદર સિંહે દિગ્દર્શકના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. સુખવિંદરે કહ્યું, "આ ગીત રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, મેં હમણાં જ ગાયું હતું. રામુજી કોઈ નાના માણસ નથી, તેથી તેમને ખોટી માહિતી મળી હશે." નોંધનીય છે કે "જય હો" ગીત ગુલઝાર દ્વારા લખાયેલ અને એઆર રહેમાન દ્વારા કમ્પોઝ કરાયેલ ફિલ્મ "સ્લમડોગ મિલિયોનેર" નું છે. એઆર રહેમાનને આ ગીત માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ચારેય. બાજુથી ટીકા મળી રહી છે

તેમના તાજેતરના વિવાદમાં, એઆર રહેમાને ઝડપથી ધ્યાન ખેંચ્યું જ્યારે તેમણે કહ્યું કે તેમને બોલિવૂડમાં કામ મળી રહ્યું નથી અને ફિલ્મ "છાવા" પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારથી, એઆર રહેમાનને ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો --------  Akshay Kumar Car Accident : ડ્રાઈવર જેલમાં, પણ 'ખિલાડી' કેમ મૌન? જાણો અંદરની વાત શું છે?

Tags :
Advertisement

.

×